બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / The ambulance driver said we shouldn't have lifted Sushant's body, a special friend's car exploded
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI દ્વારા ઘણા લોકોની તપાસ કરવામાં આવી છે. પોતાને સુશાંતનો નજીકનો મિત્ર બતાવનાર સંદીપ સિંહની સુશાંતની ડેડબોડી લઈ જનાર એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાથે ચાર વાર વાતચીત થઈ હતી. આ દરમિયાન તે એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેને કહ્યું હતું કે તેને અફસોસ છે કે તેને સુશાંતની ડેડબોડીને ઉઠાવી હતી, જો કે તે સંદીપને ઓળખતો નથી.

ADVERTISEMENT
એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું મોટું નિવેદન
ફ્લેટથી સુશાંતની ડેડબોડી લઈ જવા વાળા એમ્બ્યુલન્સ ડ્રાઈવર અક્ષયનું નિવેદન CBI માટે આગળની તપાસમાં મહત્વની કડી પુરવાર થઈ શકે તેમ છે. અક્ષયે કહ્યું હતું કે સુશાંતની મોતના દિવસે અમારી પાસે ઘણી ટેલિફોન કોલ્સ આવતી હતી. જેમાં અમે જાણતા નથી કે સંદીપ સિંહ કોણ છે?
ADVERTISEMENT

એમ્બ્યુલન્સ ડ્રાઈવરને પોલીસના પણ ઘણા ફોન આવ્યા હતા
ADVERTISEMENT
ડ્રાઇવરે કહ્યું હતું કે લોકો લગાતાર અમારી પાસેથી અપડેટ લઈ રહ્યા હતા. જો કે ડ્રાઇવરે સાથે જ જણાવ્યું હતું કે હવે તેમણે લાગી રહ્યું છે કે કદાચ તેમણે મોટી ભૂલ કરી દીધી છે. અમારે સુશાંતની ડેડબોડી ઉઠાવવા જવાની જરૂર નહોતી. અમે તેના પછી ઘણું હેરાન થયા છીએ. જો CBI અમારી સાથે વાતચીત કરવા માંગે છે તો અમે પણ વાતચીત કરવા માટે તૈયાર છીએ.

ADVERTISEMENT
સંદીપ સિંહે 1 વર્ષ સુધી નહીં કર્યા ફોન
સુશાંત કેસમાં સંદીપ સિંહ પણ શંકાના ઘેરામાં છે. કેમ કે સુશાંત સિંહના ફ્રેન્ડ મનાઈ રહેલા સંદીપ સિંહ સુશાંત સાથે 1 વર્ષથી તેના સંપર્કમાં નહોતા, પરંતુ સુશાંતની આત્મહત્યા પછી તે અચાનક જ પ્રગટ થયા હતા.
ADVERTISEMENT
સંદીપ સિંહે એક વર્ષથી સુશાંતને એક પણ વાર ફોન કર્યો નહોતો, અને સુશાંતની મોતના દિવસે તે એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ચાર વાર ફોન કરવો તે ઘણું સૂચક માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.