બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / 'The allegations made by Trudeau, the big statement of America came out amid the India-Canada dispute

BIG NEWS / 'ટ્રુડોએ જે આરોપો લગાવ્યાં તે...', ભારત-કેનેડા વિવાદ વચ્ચે સામે આવ્યું અમેરિકાનું મોટું નિવેદન

Megha

Last Updated: 01:11 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે એવામાં અમેરિકાએ કહ્યું કે કેનેડામાં એક 'શીખ કાર્યકર્તા'ની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપોથી 'અત્યંત ચિંતિત' છે.

  • હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર 
  • ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે
  • હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોય શકે - જસ્ટિન ટ્રૂડો

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને નિષ્કાષિત કર્યા હતા, ત્યારબાદ ભારતે પણ ટોચના કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અમેરિકાએ હવે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત પરના આરોપોથી અમેરિકા 'અત્યંત ચિંતિત' છે
અમેરિકાએ કહ્યું છે કે કેનેડાના Surrey શહેરમાં એક 'શીખ કાર્યકર્તા'ની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપોથી તે 'અત્યંત ચિંતિત' છે. એક રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું, 'અમે વડા પ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીદારો સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. કેનેડા તપાસ કરે અને ગુનેગારોને પકડે તે જરૂરી છે.' 

હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે 
ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મોતના મહિનાઓ બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ગોળીમારવા પાછળ ભારત સરકાર પર આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે દેશની સુરક્ષા એજન્સિઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની વચ્ચે સંબંધની તપાસ કરી રહી છે. 

શું કહ્યું જસ્ટિન ટ્રૂડોએ? 
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડિયન સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના સંબંધના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે.કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ અમારા કાયદાનું ઉલ્લંઘન છે. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."

કેનેડાએ ગંભીર આક્ષેપ સાથે ભારતના રાજદૂતને કર્યા નિષ્કાષિત 
જસ્ટિન ટ્રુડોના ભારત પર આરોપો બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ભારતના એક ટોચના રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, "આજે અમે ભારતના એક અગ્રણી રાજદ્વારીને કાર્યવાહી તરીકે હાંકી કાઢી રહ્યા છીએ, પરંતુ અમે આના તળિયે જઈશું. જો આ બધું સાચું સાબિત થશે તો આ અમારા કાયદાનું ઉલ્લંઘન છે. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."

ભારતે પણ કેનેડાના એક સિનિયર ડિપ્લોમેટને દેશમાંથી હાંકી કાઢ્યા
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને આજે બોલાવવામાં આવ્યા હતા અને ભારતમાં સ્થિત એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના ભારત સરકારના નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી. તે રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય કેનેડિયન રાજદ્વારીઓની આપણા આંતરિક બાબતોમાં દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને લઈને ભારત સરકારની વધતી ચિંતા દર્શાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ