બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જમાઈને બચાવવા ગયેલા સસરા-સાળો નર્મદા કેનાલમાં ડૂબ્યા, જમાઈનો આબાદ બચાવ
Last Updated: 09:48 PM, 2 August 2026
બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં રવિવારે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નર્મદા કેનાલમાં પડેલા જમાઈને બચાવવા માટે કેનાલમાં કૂદેલા સસરા અને સાળા ડૂબી જતાં તેમના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
સસરા તેમજ સાળાને તરતા ન આવડતાં કેનાલમાં ડૂબ્યા હોવાની આશંકા
પ્રાથમિક માહિતી અનુસાર, સરવણ ઠાકોર અચાનક નર્મદા કેનાલમાં પડી ગયા હતા. તેમને બચાવવા માટે તેમના સસરા ઇશ્વરભાઈ ઠાકોર અને સાળા નીલાભાઈ ઠાકોર તરત જ કેનાલમાં કૂદી પડ્યા હતા. જોકે, બંનેને તરતા ન આવડતાં તેઓ કેનાલના પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ફાયર વિભાગ શોધખોળ શરૂ કરી
ADVERTISEMENT
સરવણ ઠાકોરને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર આવી શક્યા હતા. બીજી તરફ, ઇશ્વરભાઈ અને નીલાભાઈ પાણીમાં લાપતા બનતાં ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ADVERTISEMENT
ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા
માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CJP ફાઉન્ડર અભિજીત દીપકેના પિતાની આવક પર ઉઠ્યા સવાલ, સુરતના આ RTI એક્ટિવિસ્ટે કરી તપાસની માગ
ઘટનાના પગલે પરિવારજનોમાં ગમગીની
ADVERTISEMENT
આ કરુણ ઘટનાના પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.