બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રાવણમાં લીલી બંગડીઓ કેમ પહેરાય છે? જાણો તેની પાછળનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શ્રાવણમાં લીલી બંગડીઓ કેમ પહેરાય છે? જાણો તેની પાછળનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

Last Updated: 08:37 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ પહેરવી સકારાત્મકતા, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરા ભગવાન શિવ-પાર્વતીની કૃપા અને સુખી વૈવાહિક જીવનની કામના સાથે જોડાયેલી છે.

1/6

photoStories-logo

1. શ્રાવણમાં લીલી બંગડી

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની ભક્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શ્રાવણઆવતાં જ બજારોમાં લીલી બંગડી, લીલી સાડીઓ અને મહેંદીની રૌનક વધી જાય છે. જેમાં સુહાગન મહિલાઓની ભીડ આવા સ્ટોલ પર સૌથી વધુ જોવા મળે છે. દુકાનદારો પણ ખાસ શ્રાવણ કલેક્શન સજાવે છે. મહિલાઓની લીલા રંગ પ્રત્યેની આ રુચિ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી છે. આજે અમે તમને લીલી ચૂડીઓ પહેરવાનું ધાર્મિક મહત્વ જણાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ

શ્રાવણનો મહિનો વરસાદ અને હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે. વરસાદ સાથે સૂકી ધરતી લીલોતરીમાં ફેરવાઈ જાય છે અને ચારે બાજુ નવી ઊર્જા તથા જીવનનો અહેસાસ થાય છે. આથી જ લીલો રંગ સમૃદ્ધિ, ખુશહાલી, ઉન્નતિ અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણમાં લીલા રંગનો ઉપયોગ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અખંડ સૌભાગ્ય

ધર્મશાસ્ત્રો અનુસાર ભગવાન શિવનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. તેમની પૂજામાં બેલપત્ર, ધતૂરો, ભાંગ અને બીજી લીલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. વળી મા પાર્વતીને સૌભાગ્ય અને સુહાગની દેવી માનવામાં આવે છે. જે મહિલાઓ શ્રાવણમાં લીલી બંગડીઓ પહેરીને ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરે છે તેમને અખંડ સૌભાગ્ય, સુખી વૈવાહિક જીવન અને પરિવારમાં ખુશહાલીનો આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હરિયાળી તીજ પર મહત્વ

શ્રાવણ દરમિયાન હરિયાળી તીજ જેવા મુખ્ય તહેવારો પણ ઉજવાય છે. આ દિવસે મહિલાઓ લીલા રંગના વસ્ત્રો પહેરે છે, હાથમાં મહેંદી રચાવે છે અને લીલી બંગડીઓથી શણગાર કરે છે. આ શણગાર મા પાર્વતીને પ્રિય છે અને તેનાથી વૈવાહિક જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને મધુરતા બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સાંસ્કૃતિક મહત્વ

માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં લીલી બંગડીઓનું સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ જ ખાસ છે. ભારતીય પરંપરામાં બંગડીઓનું સુહાગનની નિશાની માનવામાં આવે છે. તેની ખનક ઘરમાં શુભતા અને આનંદનો સંદેશ આપે છે. આથી શ્રાવણમાં મહિલાઓ નવી લીલી બંગડીઓ પહેરીને પોતાના પરિવારની સુખ-શાંતિ અને પતિની લાંબા આયુષ્યની કામના કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

holy month green bangles Shravan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ