બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સ્પોર્ટસ / Cricket / અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા

Last Updated: 04:46 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ સાથે તિરુપતિ મંદિરમાં માથું મુંડાવીને વાળનું દાન કર્યું છે.. આ પરંપરા ભગવાન વેંકટેશ્વરના કુબેર પ્રત્યેના ઋણ ચૂકવવા અને શ્રદ્ધા-સમર્પણનું પ્રતીક મનાય છે.

1/5

photoStories-logo

1. હાર્દિક પંડ્યા તિરુપતિ બાલાજી મંદિરે પહોંચ્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મુંડાવી લીધું છે. તેઓ આંધ્ર પ્રદેશના તિરુમલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ભગવાનના દર્શન કર્યા અને વિધિવત પૂજન પણ કર્યું હતું. આ દરમિયાન તેને મંદિરમાં પોતાનું માથું પણ મુંડાવ્યું હતું. થોડા દિવસ પહેલાં જ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પણ આ જ મંદિરમાં માથું મુંડાવ્યું હતું. આખરે દેશના મોટા-મોટા સેલિબ્રિટીઝ અહીં આવીને માથું કેમ મુંડાવે છે, તે વિશે વિસ્તારથી જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તિરુપતિમાં માથું મુંડાવવાની પરંપરા કેમ ?

તિરુપતિમાં માથું મુંડાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં આવતા ભક્તો પૂરી શ્રદ્ધા સાથે પોતાનું માથું મુંડાવીને વાળનું દાન કરે છે. તેઓ આને ઈશ્વર પ્રત્યે સમર્પણ, અને વિનમ્રતાનું પ્રતીક માને છે. અમુક લોકો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહીં આવીને વાળનું દાન કરે છે, તો અમુક કોઈ ખાસ સંકલ્પ મુજબ પણ આ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વાળના દાન પાછળની પૌરાણિક કથા

તિરુપતિમાં વાળનું દાન કરવા પાછળ એક પૌરાણિક કથા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ભગવાન વેંકટેશ્વરનું પદ્માવતી સાથે વિવાહ થયા ત્યારે પરંપરા અનુસાર વિવાહ પહેલાં કન્યાના પરિવારને એક ખાસ પ્રકારનું શુલ્ક આપવાનું હતું. ભગવાન વેંકટેશ્વર આ શુલ્ક ચૂકવવામાં અસમર્થ હતા તેથી તેમને કુબેર મહારાજ પાસેથી ઋણ લઈને પદ્માવતી સાથે વિવાહ કર્યા અને વચન આપ્યું કે કલિયુગના અંત સુધી તે આખું ઋણ ચૂકવી દેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઋણ ચૂકવવાનું પ્રતીક

તેમને લક્ષ્મી માતાની તરફથી પણ વચન આપ્યું કે જે ભક્તો આ ઋણ ચૂકવવામાં તેમની મદદ કરશે મા લક્ષ્મી તેમને તેનાથી દસ ગણું વધુ ધન આપશે. એજ કારણે ભક્તો તિરુપતિમાં વાળનું દાન કરીને ભગવાન વિષ્ણુના ઋણ ચૂકવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કોણ છે ભગવાન વેંકટેશ્વર?

આંધ્ર પ્રદેશમાં આવેલું તિરુમલા તિરુપતિ બાલાજી મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે. તિરુમલાની પહાડીઓ પર બનેલા આ ભવ્ય મંદિરમાં હંમેશા ભક્તોની ભારે ભીડ જામી રહે છે. અહીં દેશ વિદેશથી લોકો દર્શન માટે આવે છે. અહીં બિરાજમાન ભગવાન વેંકટેશ્વરને બાલાજી અને શ્રીનિવાસના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન વેંકટેશ્વર ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રદ્ધાપૂર્વક તેમના દર્શન અને પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિના પાપોનું પ્રાયશ્ચિત થાય છે. માન્યતા છે કે આ જ જગ્યા છે જ્યાં ભગવાન વિષ્ણુએ માનવજાતિના કલ્યાણ માટે વેંકટેશ્વરનું અવતાર ધારણ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Lord Venkateswara Tirupati temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ