26 જાન્યુઆરીથી મહારાષ્ટ્રની સ્કૂલોમાં એક નવો નિયમ લાગુ પડશે. નવા નિયમ પ્રમાણે સ્કૂલોમાં પ્રાર્થના બાદ કરવામાં આવશે બંધારણની પ્રસ્તાવનાનું પઠન. જાણો આમ કરવા પાછળનું શું કારણ છે. જાણો મંત્રીઓએ શું કહ્યું આ નિર્ણય પર
મહારાષ્ટ્રની સ્કૂલોમાં બંધારણની પ્રસ્તાવનાનું પઠન
26 જાન્યુઆરીથી એ ફરજિયાત કરવામાં આવશે
રાજ્ય મંત્રી વર્ષા ગાયકવાડે મંગળવારે આ માહિતી આપી હતી.
પઠન બંધારણની સંપ્રભુત્તા, તમામનાં કલ્યાણ અભિયાનનો ભાગ છે.
મહારાષ્ટ્રમાં 26 જાન્યુઆરીથી તમામ સ્કૂલોમાં રોજ પ્રાર્થના બાદ બંધારણની પ્રસ્તાવનાનું નિયમિત પઠન કરવામાં આવશે. રાજ્યનાં મંત્રી વર્ષ ગાયકવાડે મંગળવારે આ માહિતી આપી હતી કે રાજ્ય સરકારનાં એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની પ્રસ્તાવનાનું પઠન બંધારણની સંપ્રભુત્તા, તમામનાં કલ્યાણ અભિયાનનો ભાગ છે.
આ પ્રસ્તાવ ઘણો જૂનો છે
કોંગ્રેસનાં ધારાસભ્ય અને મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે,‘વિદ્યાર્થીઓ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરશે જેથી તે તેનું મહત્વ સમજી શકશે. સરકારનો આ પ્રસ્તાવ ઘણો જૂનો છે પરંતુ આને 26 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. ’આ અંગે સરકારે ફેબ્રુઆરી વર્ષ 2013માં પરિપત્ર જાહેર કર્યો હતો. તે સમયે રાજ્યમાં કોંગ્રેસ - રાકપાની સરકાર હતી. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ રોજ સ્કૂલમાં પ્રાર્થનાં બાદ પ્રસ્તાવનાનું પઠન કરશે.