તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં તાજેતરમાં જ રચાયેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિના 12 સભ્યોએ આ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો
12 સભ્યોએ રાજીનામું આપી દીધું છે
લાંબા સમયથી કામ કરતા નેતાઓ નિરાશ
તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં તાજેતરમાં જ રચાયેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિના 12 સભ્યોએ આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સભ્યોએ રજૂ કરેલા રાજીનામાના પત્રમાં પક્ષની નેતાગીરી પર સ્થાનિક નેતાઓને બાયપાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
KCR ને સત્તા માંથી હાકી કાઢવા જોઈએ
ઉત્તમ કુમારે આરોપ લગાવ્યો છે કે પીસીસીના 50 ટકાથી વધુ સભ્યો એવા નેતા છે જે હાલમાં જ ટીડીપી સાથે જોડાયેલા હતા. જેનાથી છેલ્લા છ વર્ષથી પાર્ટી માટે કામ કરી રહેલા નેતાઓ નિરાશ થયા છે. "કેસીઆર તેલંગાણામાં સરમુખત્યારશાહી શાસન ચલાવી રહ્યા છે. કેસીઆરને સત્તામાંથી હાંકી કાઢવા માટે સખત લડતની જરૂર છે.