બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં શિષ્યા પર દુષ્કર્મ આચરનારો ગુરુ પકડાયો,નરાધમે વિદ્યાર્થિનીનું અપહરણ કરીને આચર્યું હતું દુષ્કર્મ
Last Updated: 05:38 PM, 17 June 2026
સમાજમાં શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવે છે. પરંતુ ભાવનગર જિલ્લામાં એક શિક્ષકે આ પવિત્ર સંબંધને કલંકિત કરતો ગંભીર ગુનો આચર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સગીરા વિદ્યાર્થીનીના અપહરણ અને તેના પર દુષ્કર્મ આચરવાના આરોપસર પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે.
ADVERTISEMENT

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, શિહોરના રહેવાસી કરણભાઈ વિનોદભાઈ પરમાર સામે સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ નોંધાયો હતો. ઘટનાની ફરિયાદ અલંગ પોલીસ મથકે નોંધાતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

ADVERTISEMENT
આરોપી શિક્ષકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો
અલંગ પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરતાં ગણતરીની કલાકોમાં જ આરોપી શિક્ષકને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT

આ સમગ્ર ઓપરેશન ભાવનગર જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે આરોપીને ટૂંકા સમયમાં કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મળી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદ RTO કચેરીમાં સર્વરના ધાંધિયાથી કંડક્ટરની ભરતીના ઉમેદવારોને હાલાકી,કર્યો હોબાળો
ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી
ADVERTISEMENT
ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે અને સમાજમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા કેસની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે જેથી સત્ય હકીકતો બહાર આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.