બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / sushant sinh suicide case this secret will bring earthquake in maharashtra politics said ravi rana

મોટું નિવેદન / સુશાંત સિંહની વાત ખૂલી તો મહારાષ્ટ્રમાં આવશે ભૂકંપ! એવો કયો રાઝ જાણે છે આ દિગ્ગજ નેતા?

MayurN

Last Updated: 10:29 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધી રહી છે

  • સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ લઈને વિવાદ
  • મૃતદેહના પોસ્ટમોર્ટમ ટીમનો એક ખુલસો
  • રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધી રહી છે. અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે તેમના પર હુમલો કરતા હતા. તે પછી મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમ કહીને તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો કે દિશા સાલિયાન મૃત્યુ કેસની SIT દ્વારા ફરીથી તપાસ કરવામાં આવશે. આ મામલા બાદ હવે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એક નવો ખુલાસો થયો છે. હકીકતમાં, સુશાંત સિંહના મૃતદેહના પોસ્ટમોર્ટમ ટીમનો ભાગ રહેલા રૂપ કુમાર શાહે આજે મોટું નિવેદન આપ્યું છે. શાહે કહ્યું કે રાત્રે જ્યારે સુશાંત સિંહ રાજપૂતની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં આવી હતી. ત્યારબાદ લાશને ખોલીને જોતા ગળા પર બે-ત્રણ નિશાન હતા. 

ફરી તપાસ કરવા કહ્યું 
હું નિશ્ચિતપણે કહી શકું છું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી, તેણે આત્મહત્યા નથી કરી. હવે આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવે તે સ્વાભાવિક છે. અત્યાર સુધી જે મુદ્દે રાણે પરિવાર ઠાકરે પરિવાર પર નિશાન સાધતું હતું. હવે તેમનામાં આ નિવેદન ખૂબ મહત્વનું બની જાય છે. આ મામલે અમરાવતીના ધારાસભ્ય રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે આ મામલો ખુલશે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી જશે અને ઉદ્ધવ ઠાકરેના પગ નીચેથી જમીન સરકી જશે.

બંને તરફથી હુમલો
ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારની મુસીબતો અહીં જ ખતમ નથી થઈ. મહારાષ્ટ્ર સરકારે તેમની સામે બીજી તપાસ શરૂ કરી છે. આ તપાસ અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હે હત્યા કેસ સાથે સંબંધિત છે. ઉદ્ધવ ઠાકરે પર આરોપ છે કે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહને ફોન કરીને ચોરીના કેસની જેમ તપાસ કરવા કહ્યું હતું. રાજ્ય સરકાર પણ હવે આ મામલાના તળિયા સુધી પહોંચવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં શિંદે-ફડણવીસ સરકાર દ્વારા ઠાકરે પરિવાર પર બેધારી હુમલો કરવામાં આવી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aaditya Thackeray Maharashtra Sushant Singh Rajput Uddhav Thackeray politics suicide case sushant murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ