બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 12:10 PM, 14 May 2023
તમામ ગ્રહોમાં સૂર્યને સર્વોચ્ચ માનવામાં આવે છે. નવ ગ્રહોના રાજા સૂર્ય ટૂંક સમયમાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્ય દેવતા આવતીકાલે 15 મેના રોજ બપોરે 11:32 વાગ્યે વૃષભ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક વર્ષ પછી વૃષભ રાશિમાં ગોચર થઈ રહ્યું છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, પિતા અને રાજનીતિના કારક માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં માન અને સમ્માન પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિમાં સૂર્યને ઉચ્ચ અને તુલા રાશિમાં નિમ્ન માનવામાં આવે છે.
આ રાશિના જાતકો પર સકારાત્મક અસર
સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકો પર નકારાત્મક અને કેટલીક રાશિના જાતકો પર સકારાત્મક અસર થશે. સૂર્યનું ગોચર કર્ક, સિંહ, કન્યા, મકર, કુંભ, મીન રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ રાશિના જાતકો માટે નોકરીનો યોગ બની રહ્યો છે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. નવા કામની શરૂઆત કરવા માંગો છો, તો આ સમય ખૂબ જ સારો છે.
આ રાશિના જાતકોએ રહેવું સાવધાન
સૂર્યનું ગોચર મેષ, વૃષભ, તુલા, વૃશ્વિક રાશિના જાતકોએ સાવધાન રહેવું. આ રાશિના જાતકોનું આરોગ્ય જોખમાઈ શકે છે. જે કામ થઈ રહ્યું હશે, તે કામમાં વિધ્ન આવી શકે છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. મહેનત કરતા સમયે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime