સુરેન્દ્રનગરના દેવપરા-બળોલ ગામ વચ્ચે આવેલી માયનોર કેનાલમાં ગાબડુ પડેલું જોવા મળ્યું છે. કેનાલમાં ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે.
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું
દેવપરા-બળોલ ગામ વચ્ચે માયનોર કેનાલમાં ગાબડું
ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યું છે. જિલ્લાના દેવપરા-બળોલ ગામ વચ્ચે માયનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળેલા જોવા મળ્યાં છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર નર્મદા કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. નર્મદા વિભાગની બેદરકારી સામે જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.