બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:17 PM, 19 August 2026
CNG ચલાવતા વાહનોએ ચેતી જવાની જરુર છે. સીએનજી પુરાવતી વખતે વિસ્ફોટ થઈ શકે છે. આવો એક કિસ્સો બન્યો છે. દિલ્હીની બહારના ટિકરી કલાનમાં એક સીએનજી પંપ પર એક મોટો અકસ્માત થયો. ટિકરી કલાન મેટ્રો સ્ટેશન નજીક આવેલા સીએનજી પંપ પર એક ટ્રકનો સીએનજી સિલિન્ડર ફાટ્યો, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 3 લોકોના મોત થયા હતા. મૃતકોમાં પંપના કર્મચારીઓ હતા તેઓ જ્યારે ટેન્કમાં ગેસ પુરી રહ્યાં હતા ત્યારે તે ફાટી હતી.
ADVERTISEMENT
ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યાં
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. મનીષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. બીજા મૃતકની ઓળખ સની તરીકે થઈ છે.
ADVERTISEMENT
અકસ્માતની માહિતી મળતાં, પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો હાલમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે.
છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે
ADVERTISEMENT
ઘટના બાદ, ફાયર સર્વિસ (DFS) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ડીએફએસને બપોરે 3.37 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી, જેના પગલે છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
વધુ વાંચો : PM આવાસમાં ભાડે રહેતા લોકો ચેતી જજો! અમદાવાદ મનપાએ લીધો આ મોટો નિર્ણય
ADVERTISEMENT
વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલી રહી છે. ફાયર સર્વિસના કર્મચારીઓએ ઘટનાસ્થળે જરૂરી સાવચેતી રાખી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની ખાતરી કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.