બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM આવાસમાં ભાડે રહેતા લોકો ચેતી જજો! અમદાવાદ મનપાએ લીધો આ મોટો નિર્ણય
Last Updated: 08:45 PM, 19 August 2026
અમદાવાદ મનપાએ મુખ્યમંત્રી આવાસ અને EWS મકાનોમાં ગેરકાયદેસર રીતે ભાડે આપનારા સામે સઘન ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવાસ યોજનાઓના થતા દુરુપયોગને રોકવા માટે તમામ ઝોનની ટીમો એકસાથે આકસ્મિક તપાસ કરી નિયમભંગ કરનાર મકાનો સીલ કરવાની કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે શું કહ્યું?
હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે જણાવ્યું હતું કે તપાસમાં જો કોઈ મકાન માલિકે આવાસ ભાડે આપ્યું હશે કે વેચી દીધું હશે જણાશે તો તેને નોટિસ આપી મકાન ખાલી કરાવવા અને સીલ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ તમામ ઝોનની ટીમો SRP અને સ્થાનિક પોલીસના કડક બંદોબસ્ત સાથે એક જ આવાસ યોજનામાં એકસાથે તપાસ હાથ ધરશે.
ADVERTISEMENT
છેલ્લા સાત વર્ષમાં 11122 લોકોને પઝેશન
AMC ની હાઉસિંગ કમિટીએ છેલ્લા સાત વર્ષમાં 11122 લોકોને મકાનનો કબજો સોંપ્યો છે. 11122 લાભાર્થી હાઉસિંગના મકાનમાં વસવાટ કરે છે કે કેમ તે અંગે ચેકીંગ કરવાનો નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
અઠવાડિયામાં એક દિવસ સરપ્રાઈઝ ચેકીંગ
મનપાએ અઠવાડિયામાં એક દિવસ હાઉસિંગના મકાનમાં સરપ્રાઈઝ ચેકીંગ કરશે અને ભાડૂઆત પકડાશે તો મકાન માલિકને નોટીસ આપીને કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
હાલમાં 7,825 મકાનો માટે 97,102 અરજીઓ
હાલમાં 7,825 મકાનો માટે 97,102 અરજીઓ આવી છે, જેમાં 52,000 જેટલી અરજીઓ જનરલ કેટેગરીની છે. મનપા ટેક્સ્ટ અને વોટ્સએપ મારફતે અરજદારોને તેમની પસંદ કરેલી કેટેગરીની જાણ કરશે જેથી કેટેગરીમાં કોઈ ભૂલ હોય તો 10 દિવસની અંદર સુધારી લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.