બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sukhdev Singh Gogamedi Murder Funeral Today: ashok gehlot DGP named in FIR

મોટા સમાચાર / ગોગામેડીના પત્નીએ પૂર્વ CM ગેહલોત અને DGP પર લગાવ્યા ગંભીર આરોપ, નોંધાવી FIR; રાજ્યપાલે ગૃહમંત્રી શાહ સાથે કરી વાતચીત

Published By: Parth

Last Updated: 10:58 AM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sukhdev Singh Gogamedi murder : સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ તેમના પત્નીએ FIR નોંધાવી છે જેમાં અશોક ગેહલોત અને DGPનું પણ નામ લખવામાં આવ્યું છે.

  • ગોગામેડીની હત્યા બાદ રાજપૂતોમાં ભયંકર આક્રોશ 
  • રાજસ્થાન બંધના એલાનને હજારો લોકોએ આપ્યું સમર્થન 
  • ગોગામેડીના પત્નીએ નોંધાવી FIR 
  • અશોક ગેહલોત અને DGP પર જાણી જોઈને સુરક્ષા ન આપવાનો આરોપ 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદથી જ રાજસ્થાનમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશના કારણે પરિસ્થિતિ ગંભીર છે. બુધવારે સમગ્ર રાજસ્થાનમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા હતા. 

પત્નીએ નોંધાવી FIR 
ગોગામેડી હત્યાકાંડમાં જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફરિયાદમાં હાલના કેરટેકર CM અને દિગ્ગજ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતનું પણ નામ છે. 

ગોગામેડીના પત્નીએ આ FIR નોંધાવી છે જેમાં તેમની ફરિયાદ છે કે તેમના પતિને વારંવાર મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેને લઈને અવાર નવાર CM અને DGPને પત્ર લખવામાં આવ્યા હતા છતાં જાણી જોઈને સુરક્ષા આપવામાં આવી નહીં. 

FIRમાં લખવામાં આવ્યું છે કે ATS દ્વારા ઈનપુટ આપવામાં આવ્યા હતા કે ગોગામેડીની હત્યા કરવામાં આવી શકે છે. છતાં DGP અને મોટા અધિકારીઓએ મારા પતિને સુરક્ષા આપી નહીં. 

બુધવારે રાજ્યભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા, જોકે તંત્રએ ગોગામેડીના પત્ની શીલા શેખાવત સાથે વાતચીત કરી અને તેમની તમામ માંગ પૂર્ણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું. જે બાદ શીલા શેખાવતે ભાવુક અપીલની સાથે જ ધરણાં પ્રદર્શન સમાપ્ત કરવાનું એલાન કર્યું. આજે ગોગામેડીનું તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

તંત્રએ તમામ માંગ પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું 
બુધવારે સાંજે ગોગામેડીના પત્નીએ એલાન કર્યું હતું કે જ્યાં સુધી આરોપીઓને અમારી સામે લાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંત થઈશું નહીં. પતિના નિધનથી દુખી શીલા શેખાવતે રડતાં રડતાં કહ્યું કે સુખદેવ સિંહે પોતાનું કામ પૂરી લગનથી કર્યું હતું, હવે આ માંગ પણ લગનથી પૂરી કરાવીશું. 

બુધવારે રાજસ્થાનમાં હતું બંધ 
બુધવારે સમગ્ર રાજસ્થાનમાં આ હત્યાના કારણે તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં શાળાઓ બંધ રહી. રાજ્યમાં હાલ કોઈ સરકાર નથી, ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર બને ત્યાં સુધી અશોક ગેહલોત કેરટેકર મુખ્યમંત્રી છે. એવામાં રાજ્યની પરિસ્થિતિને જોતાં રાજ્યપાલ કલરાજ મિશ્રએ મુખ્ય સચિવ, ગૃહસચિવ, ડીજીપી અને જયપૂરના પોલીસ કમિશનરને રાજભવન બોલાવ્યા અને કાયદો વ્યવસ્થાને લઈને મીટિંગ કરી. રાજ્યપાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ સમગ્ર ઘટનાને લઈને વાતચીત કરી હતી. 

SITની રચના કરવામાં આવી 
નોંધનીય છે કે ગોગામેડીને અગાઉ અનેક વાર જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી હતી, પણ રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી નહોતી. આ જ કારણ છે કે સમર્થકોની અંદર ગુસ્સો વધ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સુરક્ષા ન આપવા પાછળ અનેક અધિકારીઓની પણ ભૂમિકા હોઇ શકે છે. હાલ તો સમગ્ર હત્યાકાંડની તપાસ માટે SITની રચના કરી દેવામાં આવી છે. આટલું જ નહીં આ કેસની સુનાવણી પણ ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rajupat Karni Sena Sukhdev Singh Gogamedi સુખદેવ સિંહ ગોગામેડી Sukhdev Singh Gogamedi murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ