બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sugarcane juice contains fiber content, which keeps the body hydrated

હેલ્થ ટિપ્સ / શેરડીના ફાયદા: ઉનાળામાં જ્યુસ પીવાની મજા અલગ, પણ આ વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન

Pooja Khunti

Last Updated: 09:31 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ નથી થતી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે.

ઘણા લોકો શેરડીના રસનું સેવન ખૂબ જ પસંદ કરે છે. તમારે શેરડીના રસનું સેવન કરતાં સમયે  કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ 13 ગ્રામ હોય છે. 183 કેલરી અને 50 ગ્રામ સુગર પણ હોય છે. ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ એક સારો વિકલ્પ છે. જાણો, શેરડીના રસના સેવનથી થતાં ફાયદાઓ વિશે. 

હાઇડ્રેટ રાખે 
શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ હોય છે. તેથી શેરડીના રસના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે. તમે શેરડીના રસનું સેવન સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે પણ કરી શકો છો. વ્યાયામ કર્યા પછી થાક લાગે તો તમે શેરડીના રસનું સેવન કરી શકો છો. તે શરીરમાં બ્લડ સુગરને વધારે છે. તેનાથી સ્નાયુઓમાં ઉર્જાનું પ્રમાણ વધે છે. 

એન્ટીઓક્સિડેન્ટ 
શેરડીના રસમાં ફેનોલિક્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઓક્સિડેન્ટ હોય છે. શેરડીના રસના સેવનથી કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે. 

લીવર માટે હેલ્ધી 
શેરડીના રસમાં પોટેશિયમ હોય છે. જે ઇલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રિય કરવાનું કામ કરે છે. તેના કારણે લીવર સારી રીતે કામ કરી શકે છે. કમળાના દર્દીઓને શેરડીના રસનું સેવન કરવાનું કહેવામાં આવે છે. 

પાચન શક્તિ મજબૂત કરે છે 
શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ નથી થતી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે. 

કિડની 
શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ બિલકુલ નથી હોતું. તેથી શેરડીનો રસ કિડની માટે સ્વસ્થ માનવામાં આવે છે. તેના સેવનથી કિડની મજબૂત બને છે. 

શેરડીના રસના સેવનથી થતાં ફાયદાઓ 

  • શેરડીના રસના સેવનથી શરીરને ઠંડક મળે છે. 
  • શેરડીનો રસ વજન ઘટાડવા માટે પણ ઉત્તમ ડ્રિંક છે. 
  • શેરડીનો રસ મેટાબોલિઝમ વધારે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

વાંચવા જેવું: અત્યંત લાભકારી છે ચણા અને ગોળનું કોમ્બિનેશન: મગજ થશે તેજ, કબજિયાતમાં રાહત, જાણો 5 ફાયદા

આ લોકોએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ 
ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ. તે બ્લડ સુગર લેવલને વધારે છે. 

શેરડીના રસને પીવાની યોગ્ય રીત 

  • તમારે બપોરના સમયે શેરડીના રસનું સેવન કરવું જોઈએ. 
  • તાજો શેરડીનો રસ જ પીવો જોઈએ. 
  • શેરડીના રસમાં આદું અને નારિયેળનું પાણી મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે ડિટોક્સ ડ્રિંકનું કામ કરે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ