બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / eating jaggery and gram will bring countless benefits to your health

સ્વાસ્થ્ય / અત્યંત લાભકારી છે ચણા અને ગોળનું કોમ્બિનેશન: મગજ થશે તેજ, કબજિયાતમાં રાહત, જાણો 5 ફાયદા

Arohi

Last Updated: 08:03 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Jaggery and Gram: દરરોજ ગોળ અને ચણા ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત થઈ શકે છે. સાથે જ ગોળ અને ચણા ખાવાથી સ્વાસ્થ્યને બીજા પણ ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ...

  • દરરોજ ખાઓ ગોળ અને ચણા 
  • સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક 
  • નાની મોટી આ 5 સમસ્યાથી મળશે છૂટકારો 

ગોળ અને ચણા ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે છે. સાથે જ આ પાચન સંબંધીત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. ગોળ અને ચણાના સેવનથી દાંતો અને હાડકાઓને પણ મજબૂત બનાવી શકાય છે. ગોળ એન્ટીઓક્સીડેન્ટ અને સેલેનિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

તેના ઉપરાંત ગોળ અને ચણા બન્ને હીમોગ્લોબિન વધાવવાનું કામ કરે છે. ગોળ શરીરને હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢીને લિવરને સાફ કરવામાં મદદ કરે છે. તો ત્યાં જ ચણા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને વિટામિન-બી સહિત ઘણા અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ ગોળ અને ચણા ખાવાથી ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકાય છે.  

ગોળ ચણાનું સેવન કરવાના ફાયદા
ઈમ્યૂનિટી બનશે મજબૂત 

ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે ગોળ અને ચણા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ અને ચણા બન્ને પોષક તત્વોથી ભરપૂર હોય છે જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

હાડકાને બનાવો મજબૂત
હાડકાને મજબૂત બનાવવા માટે રોજ ગોળ અને ચણાનું સેવન કરો. ગોળ અને ચણામાં કેલ્શિયમના ગુણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને કમજોર થવાથી બચાવવામાં મદદ કરે છે. 

મગજ રહેશે સ્ટ્રોંગ
ગોળ અને ચણામાં વિટામિન-સી વધારે પ્રમાણમાં હોય છે જે મગજને તેજ કરવામાં મદદ કરી શકે છે. બાળકોને ગોળ અને ચણાનું સેવન કરવાથી તેમનું મગજ તેજ બની શકે છે. ચણા મેમરી માટે સારા માનવામાં આવે છે. 

સ્થૂળતા પર કંટ્રોલ 
જો તમે વધતા વજનથી પરેશાન છો તો તમારે શેકેલા ચણા ખાવા જોઈએ. તેનાથી સ્થૂળતા ઘટે છે. ચણામાં ફાઈબરના ગુણ મળી આવે છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે. જેનાથી તમે ઓવર ઈટિંગથી બચી શકો છો. 

વધુ વાંચો: ઍલાર્મ વાગ્યા રાખે છતાં નથી ઊડતી ઊંઘ? અપનાવો આ ટિપ્સ, આપોઆપ ખૂલી જશે આંખો

કબજીયાત કરે છે કંટ્રોલ 
કબજીયાતની સમસ્યા વધવાથી તે ખૂબ જ મુશ્કેલી પેદા કરી શકે છે. ગોળ અને ચણાના સેવન કરવાથી પેટ સંબંધી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. ગોળ અને ચણામાં હાજર ફાઈબરના ગુણ પાચન તંત્રને સ્વસ્થ્ય કરવામાં મદદ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ