બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:09 PM, 21 December 2025
ઈસરોએ ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન તરફ વધુ એક પગલું ભર્યું છે. ઈસરોએ ગગનયાન ક્રૂ મોડ્યુલની ડિલેરેશન સિસ્ટમ માટે ડ્રોગ પેરાશૂટના પરીક્ષણો સફળતાપૂર્વક કર્યા છે. આ પરીક્ષણો તા. 18 અને 19 ડિસેમ્બર 2025 ના રોજ ચંડીગઢ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીની રેલ ટ્રેક રોકેટ સ્લેડ ખાતે કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ઈસરોના જણાવ્યા અનુસાર આ પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય મુશ્કેલ પરિસ્થિતિમાં ડ્રોગ પેરાશૂટની કામગીરી અને વિશ્વસનીયતા ચકાસવાનો હતો. તેમજ બંને પરીક્ષણોએ બધા ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે.
ગગનયાન ક્રૂ મોડ્યુલની ગતિ ઘટાડા પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે?
ADVERTISEMENT
ગગનયાન ક્રૂ મોડ્યુલની ડિલેરેશન સિસ્ટમમાં ચાર અલગ અલગ પ્રકારના 10 પેરાશૂટનો સમાવેશ થાય છે. આ પેરાશૂટ અવકાશથી પાછા ફરતી વખતે ક્રૂ મોડ્યુલને સ્થિર કરે છે અને તેની ગતિને સલામત સ્તરે ઘટાડે છે, જેનાથી સમુદ્રમાં સુરક્ષિત ઉતરાણ શક્ય બને છે.
#WATCH | भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) ने गगनयान मानव अंतरिक्ष मिशन के लिए ड्रोग पैराशूट के जरूरी परीक्षण सफलतापूर्वक पूरे कर लिए हैं।
— PB-SHABD (@PBSHABD) December 20, 2025
गगनयान क्रू मॉड्यूल की रफ्तार को कम करने के लिए बनाए गए सिस्टम में कुल चार तरह के 10 पैराशूट लगाए गए हैं।
ख़बर विस्तार से पढ़ने के लिए… pic.twitter.com/gAwLxS4gQO
ADVERTISEMENT
પેરાશૂટ ખોલવાની ક્રમિક પ્રક્રિયા નીચે મુજબ છે
ADVERTISEMENT
આ પરીક્ષણમાં કોનો ફાળો?
આ પરીક્ષણો ISRO અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ( DRDO ) વચ્ચેનો સંયુક્ત પ્રયાસ છે , જેમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC), એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) અને TBRL ની ટીમો સક્રિય ભૂમિકા ભજવી રહી છે.
ADVERTISEMENT

ગગનયાન મિશનનું મહત્વ
ADVERTISEMENT
ગગનયાન ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન છે. ત્રણ ભારતીય અવકાશયાત્રીઓ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (આશરે 400 કિલોમીટર) ત્રણ દિવસ વિતાવશે અને સુરક્ષિત રીતે પાછા ફરશે. ક્રૂ મોડ્યુલનું સુરક્ષિત પરત ફરવું એ મિશનની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ પડકાર છે. આમાં પેરાશૂટ સિસ્ટમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સફળ પરીક્ષણ માનવ અવકાશ ઉડાન માટે પેરાશૂટ સિસ્ટમને લાયક બનાવવા તરફ ISRO માટે એક મોટું પગલું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પણ આ સિદ્ધિની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત તેના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશનની એક ડગલું નજીક છે.
આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો, હવામાન વિભાગની ચેતવણી
ઇસરો હવે વધુ પરીક્ષણો અને મિશન માટે તૈયારી કરી રહ્યું છે. આ સફળતા સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની વાત છે અને ભારતીય અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.