બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Stone pelting was done outside the police station in Navapura of Vadodara

કાર્યવાહી / વડોદરાના નવાપુરામાં પોલીસ સ્ટેશનની બહાર જ કરાયો પથ્થરમારો, મામલો અભદ્ર ટિપ્પણી, શાહિદ પટેલ વિરૂદ્ધ ફરિયાદ

Vishal Khamar

Last Updated: 11:42 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણીનાં મામલે ચકમચ ઝરી હતી. જે મામલો વધુ ઉગ્ર થતા પથ્થમારો થતા પોલીસે લાઠી ચાર્જ કરી ટોળુ વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો.

વડોદરામાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં કેટલાક લોકો દ્વારા આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ ડીસીપી લીના પાટીલે થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ પથ્થરમારો કરનારની શોધખોળ હાથ ધરી હતી. 

પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ટોળા પર લાઠીચાર્જ કર્યો
ત્યારે અચાનક જ ટોળા દ્વારા પથ્થરમારો શરૂ કરતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ટોળા પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ત્યારે પથ્થરમારાની ઘટનામાં કેટલીક લારીઓને નુકશાન પહોંચ્યું હતું..

વધુ વાંચોઃ અકસ્માતમાં બંને હાથ ગુમાવનાર પંચમહાલની સ્નેહા રાઠવાની હિંમતને દાદ દેવી પડે, સંઘર્ષ ગાથા જાણી ગર્વ થશે

શું હતો સમગ્ર મામલો
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે હું મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવું છું. તેમજ મારા ગ્રાહકોને ઓફર જણાવવા માટે હું ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હતો. જેથી મારા ગ્રાહકોએ જય શ્રી રામ કહીને શુભેચ્છા પાઠવી હતી.  જે બાદ હું ઓફરની જાહેરાત કરતો હતો. તે દરમ્યાન sahid-patel-7070 નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી અભદ્ર કોમેન્ટ કરી હતી. જે કોમેન્ટ મેં જોતા તેનું નામ સહીદ પટેલ જે પાદરા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ મેં તેને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. અને કોમેન્ટ વાળો ફોટો ડિલિટ કરી દીધો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ