બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Stone pelting on Vande Bharat train near Rajkot: Home Minister Harsh Sanghvi was also traveling, railway police started investigation

મોટા સમાચાર / રાજકોટ પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કરી રહ્યા હતા મુસાફરી, રેલવે પોલીસે શરૂ કરી તપાસ

Parth

Last Updated: 11:18 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના, રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનથી કરી રહ્યા હતા મુસાફરી.

  • રાજકોટ પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો 
  • ગૃહરાજયંત્રી સંઘવી પણ ટ્રેનમાં જ હતા 
  • અજાણ્યા શખ્સો સામે રેલવેએ શરૂ કરી તપાસ 

તેજસ એક્સપ્રેસ ટ્રેન હોય કે પછી વંદે ભારત, ભારતમાં જ્યારથી જ નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે ત્યારથી જ અસામાજિક તત્વો હાવી બન્યા છે. દેશના અનેક રાજ્યોમાં ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આવીજ ઘટના રાજકોટમાં પણ થઈ છે. 

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ જવા માટે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ રાજકોટ પાસે ટ્રેન પર પથ્થરમારો કર્યો. બિલેશ્વર સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો જેના કારણે ટ્રેનમાં નુકસાન પણ પહોંચ્યું છે. સમગ્ર ઘટનાને લઇ રેલવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 

 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ જવા માટે ટ્રેન જ્યારે રાજકોટથી અમદાવાદ પરત આવવા માટે ST બસમાં મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન અન્ય મુસાફરો સાથે પણ હર્ષ સંઘવીએ વાતચીત કરી હતી તથા સોશ્યલ મીડિયામાં તસવીરો પણ શેર કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ