વરસાદની અછત વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, પીવાના પાણીને હાલમાં પ્રાથમિકતા આપીશું, આશા રાખીએ કે ભગવાન વરસાદ મોકલશે
વરસાદ મુદ્દે CM રૂપાણીનું મોટું નિવેદન
પીવાના પાણીને પ્રાથમિકતા આપીશું
આશા રાખીએ કે ભગવાન વરસાદ મોકલે
ગુજરાતમાં વરસાદને લઈ સૌથી વધુ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ શકે છે. ત્યારે રાજ્યમાં વરસાદની અછત વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, પીવાના પાણીને હાલમાં પ્રાથમિકતા આપીશું. આશા રાખીએ કે ભગવાન વરસાદ મોકલશે. મહત્વનું છે કે, તમામ ડેમમાં પાણીની સપાટી ઘટી રહી છે. સૌથી મોટી જળસ્ત્રોત એવી નર્મદા ડેમની સપાટીમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો.
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ ચૂકી છે. તો હવામાન વિભાગે વરસાદ લાંબા વિરામ બાદ વરસાદના આગમનને લઈ આગાહી કરી છે. આગામી 30 અને 31 ઓગસ્ટે રાજ્યમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે, રાજ્યમાં હજી 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.
વરસાદ ખેંચાતા રાજ્યમાં દુકાળની સંભાવના
રાજ્યના 20 જિલ્લામાં હજુ વરસાદની 50 ટકાથી વધુ ઘટ
રાજ્યમાં આ વર્ષે 41.79% વરસાદ નોંધાયો
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સરેરાશ 21 ઇંચ વરસાદની ઘટ
ગત વર્ષ કરતા આ વર્ષે 65.82% વરસાદની ઘટ
2021 ઓગસ્ટ સુધી રાજ્યનો સરેરાશ વરસાદ 14.04 ઇંચ
ગત વર્ષે રાજ્યમાં ઓગસ્ટ માસ સુધીમાં વરસાદ 35.76 ઇંચ હતો
ગત વર્ષે રાજ્યમાં 107.61 ટકા ઓગસ્ટ 2020 સુધી નોંધાયો હતો