બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અન્નદાતાને પૂરો ટેકો! મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને હકાભા ગઢવીનું નિવેદન

નિવેદન / અન્નદાતાને પૂરો ટેકો! મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને હકાભા ગઢવીનું નિવેદન

Vishal Khamar

Last Updated: 10:35 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં ખેડૂત આંદોલનને લઈ લોક સાહિત્યકારનું નિવેદન સામે આવ્યું છે. હકાભા ગઢવીએ ખેડૂતોનાં સમર્થનમાં નિવેદન આપ્યું હતું.

મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ ખુલ્લું સમર્થન આપ્યું છે. હકાભા ગઢવીએ ખેડૂતોની માંગણીઓનો યોગ્ય અને ઝડપી નિર્ણય લેવા અપીલ કરી હતી.

જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને હકાભા ગઢવીનું નિવેદન

હકાભા ગઢવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેમની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવા જોઈએ. તેમણે કહ્યું કે ખેડૂતો લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે લડી રહ્યા છે અને હવે હકારાત્મક પગલાં ભરવાની જરૂર છે.

હકાભા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં આપ્યુ નિવેદન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો ખેડૂતોના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય નહીં આવે તો હું પણ ખેડૂતોની સાથે આંદોલનમાં બેસી જઈશ." તેમના આ નિવેદનને ઉપસ્થિત ખેડૂતો અને આગેવાનો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતના નકલી પ્લાઝમા રેકેટમાં મહારાષ્ટ્રની બ્લડ બેંકની સંડોવણી, ચોરીના પ્લાઝમા મોહન ગાયકવાડ આપતો

જેતપર ખાતે ચાલી રહેલા આંદોલનને વિવિધ સામાજિક સંગઠનો અને આગેવાનો તરફથી સતત સમર્થન મળી રહ્યું છે, ત્યારે હકાભા ગઢવીના નિવેદનથી આંદોલનને વધુ બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Morbi Farmers' Movement Morbi
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ