બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: '...એટલે કહીશું', CMને મંત્રીમંડળનો સવાલ પૂછતા જ CR પાટીલે આપ્યો ચોંકાવનારો જવાબ
Last Updated: 12:51 PM, 26 September 2025
ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ મંત્રી મંડળના વિસ્તરણને લઈ પૂછવામાં આવેલ પ્રશ્નમાં પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવેલ જવાબમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ચર્ચાનો અંત આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મંત્રી મંડળના વિસ્તરણ બાબતે પૂછવામાં આવેલ પ્રશ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાસ્ય સાથે જણાવ્યું હતું કે, થશે એટલે કહેશું. તમને પૂછ્યા વગર ન કરીશું.ય
ADVERTISEMENT
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટિલને પૂછાયો મંત્રીમંડળ અંગે પ્રશ્ન, હસતાં મુખે કહ્યું તમને પૂછ્યા વગર ન કરીએ#gujaratcm #BhupendraPatel #GujaratiNews #CRPaatil #BJP4IND #BJPNEWS #GujaratBJP #BJP #VTVDigital pic.twitter.com/C1A74YY2Dq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 26, 2025
મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના
ADVERTISEMENT
ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઇ છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.
ADVERTISEMENT
નવરાત્રીમાં જ નવા મંત્રીઓ આવશે
નવરાત્રીના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે. ખાસ કરીને નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.
ADVERTISEMENT
12 થી 15 નવા ચહેરાઓને મળશે સ્થાન
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે ચાર વર્ષ પછી થનારા વિસ્તરણમાં 12 થી 15 નવા ચહેરા આવી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર આજે મંગળવારે નવી દિલ્હી જઇ રહ્યાં છે. તેમની મુલાકાત દરમ્યાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ નિશ્ચિત થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ LIVE પ્રેસ કોન્ફરન્સમાં CR પાટીલનું મોટું એલાન, MLAs સહિત પદાધિકારીઓ હતા ઉપસ્થિત
2027 સુધીમાં થશે મંત્રીમંડળનું વિસ્તરણ
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ 2027માં થવાની છે ત્યારે તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે. હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી ક્યા સભ્યો કપાય છે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળે છે.
અનેક મંત્રીઓને પડતા મુકાઇ શકે છે
હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્યો છે. જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે. એ ઉપરાંત રાજ્યમંત્રીમાં બીજા છ મંત્રીઓ – મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.
6 રાજ્યકક્ષા અને 3 કેબિનેટ કક્ષાના મંત્રીઓની હકાલપટ્ટી
એવું માનવામાં આવે છે કે કેબિનેટમાંથી ત્રણ અને રાજ્યકક્ષામાંથી છ મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે પરંતુ છેલ્લી ઘડીએ હાઇકમાન્ડ ક્યો ફેસલો કરે છે તે મંત્રીમંડળની શપથવિધિ સમયે ખબર પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. એટલું જ નહીં એક ડઝન કરતાં વધુ સભ્યોની કામગીરી સંતોષજનક દેખાતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.