બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / VIDEO: અટકળોનો અંત! રોહિત શર્માએ વર્લ્ડ કપ રમવા અંગે આપ્યો ફાઈનલ જવાબ

સ્પોર્ટ્સ / VIDEO: અટકળોનો અંત! રોહિત શર્માએ વર્લ્ડ કપ રમવા અંગે આપ્યો ફાઈનલ જવાબ

Published By: Maulik Patel

Last Updated: 04:39 PM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝમાં વિશેષ બેટ્સમેન તરીકે રમવા તૈયાર છે. આ દરમિયાન રોહિત શર્માએ મેક-અ-વીસ (Make-A-wish) ફોઉન્ડેશનના એક ફેન સાથે મુલાકાત થઈ હતી ત્યારે વર્લ્ડ કપ રમવાની પ્રોમિસ આપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માએ 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવાની પોતાની યોજનાઓ સ્પષ્ટ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા સામેની આગામી વનડે સીરિઝમાં રોહિત શર્મા વિશેષ બેટ્સમેન તરીકે રમશે, જ્યારે શુભમન ગિલને ભારતીય વનડે ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ ઉપરાંત, વિરાટ કોહલી પણ આ સીરિઝનો ભાગ છે, જે બંને દિગ્ગજ ખેલાડીઓના વનડે કરિયરને લઈને ચર્ચાઓને વધુ તેજ કરે છે.

રોહિત અને વિરાટે પહેલાથી જ ટી-20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તેમનું વનડે ફોર્મેટમાં ચાલુ રહેવાનું સ્પષ્ટ છે. રોહિત શર્માએ તાજેતરમાં મુંબઈમાં મેક-એ-વિશ (Make-A-wish) ફાઉન્ડેશનના બાળકો સાથેની વાતચીત દરમિયાન 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવાનો વાયદો કર્યો હતો. એક યુવા ચાહકે જ્યારે રોહિતને પૂછ્યું કે શું તેઓ આગામી વર્લ્ડ કપમાં રમશે, તો રોહિતે હસીને કહ્યું, "હું સંપૂર્ણ રીતે તૈયાર છું અને ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરીશ.

rohit-sharma--2

" આ વીડિયો સપ્ટેમ્બરનો હોવાનું માનવામાં આવે છે, જેમાં રોહિતે બાળકો સાથે હળવા-મળવા માટે સમય કાઢ્યો હતો. આ નિવેદનથી રોહિતે તેમના વનડે કરિયરને લઈને ચાલતી અટકળોને વિરામ આપ્યો છે.2023ના વનડે વર્લ્ડ કપના ફાઈનલમાં રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ રોહિતના વનડે કરિયર પર સતત સવાલો ઉઠતા રહ્યા. જોકે, રોહિતે પોતાની કેપ્ટનશીપમાં ભારતને ટી-20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતાડીને આ હારની ખોટ પૂરી કરી. હવે રોહિત અને વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે તૈયાર છે.

Parul University

19 ઓક્ટોબરથી શરૂ થનારી આ ત્રણ મેચની વનડે સીરિઝ 2027ના વર્લ્ડ કપની તૈયારીના દૃષ્ટિકોણથી બંને ખેલાડીઓ માટે મહત્વની છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડે પણ આગાહી કરી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના વનડે વર્લ્ડ કપ સુધી રમતા રહેશે. શુભમન ગિલને વનડે ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જે નવા નેતૃત્વની શરૂઆતનો સંકેત આપે છે. જોકે, સિલેક્ટર્સે રોહિત અને વિરાટને ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય લીધો છે, જે યુવા ટીમ માટે વિદેશી પ્રવાસમાં મહત્વનો સાબિત થઈ શકે છે.રોહિત શર્મા હાલમાં સંપૂર્ણ ફિટ દેખાઈ રહ્યા છે. તેમણે ભારતીય ટીમના પૂર્વ આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે ટ્રેનિંગ લીધી છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં લગભગ 10 કિલો વજન ઘટાડ્યું છે.

આ પણ વાંચો: 'જો તમે કેપ્ટન હોત તો...', શુભમન ગિલે રોહિત શર્માને આ શું પૂછી લીધું?

આ સીરિઝમાં રોહિત અને વિરાટનું પ્રદર્શન લાખો ભારતીય ચાહકો માટે ખાસ રહેશે, જેઓ આ બંને દિગ્ગજ ખેલાડીઓને 2027ના વર્લ્ડ કપમાં જોવા માટે આતુર છે. આ સીરિઝ ભારતીય ટીમના ભવિષ્યની દિશા નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. શુભમન ગિલની નેતૃત્વ ક્ષમતા અને રોહિત-વિરાટનો અનુભવ ટીમને ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે સંતુલન પ્રદાન કરશે. ચાહકોને આશા છે કે આ બંને દિગ્ગજો 2027ના વર્લ્ડ કપમાં ભારતને ટ્રોફી જીતાડવામાં મહત્વનું યોગદાન આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma ODI World Cup Promise Australia series Make-A-wish foundation

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ