બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'જો તમે કેપ્ટન હોત તો...', શુભમન ગિલે રોહિત શર્માને આ શું પૂછી લીધું?

ક્રિકેટ / 'જો તમે કેપ્ટન હોત તો...', શુભમન ગિલે રોહિત શર્માને આ શું પૂછી લીધું?

Published By: Nirav Kumar

Last Updated: 03:19 PM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી શુભમન ગિલને સોંપવામાં આવતા ખુબ ચર્ચા અને આલોચનાઓ સામે આવી હતી. જેમાં નવા કેપ્ટન અને જુના કેપ્ટન વચ્ચે ટીમમાં મતભેદ પેદા થઇ શકે છે તેવી અટકળો પણ ચાલી હતી એવામાં શુભમન ગિલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયાની સીરીઝમાં મારે જ્યાં જરૂર પડશે ત્યાં રોહિત પાસેથી મંતવ્ય પણ લઈશ.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી શુભમન ગિલને સોંપવામાં આવતા BCCI ના આ નિર્ણયની ખુબ આલોચના થઇ હતી.  હવે આ સીરીઝ પહેલા શુભમન ગિલે રોહિત શર્મા અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે.ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેન પહેલીવાર ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે. એવામાં ગિલે રોહિત અને વિરાટ વિશે નિવેદન આપતા જણાવ્યુ કે, ODI કેપ્ટનશીપ સંભાળ્યા બાદ રોહિત સાથેના તેમના સંબંધોમાં કોઈ બદલાવ નથી આવ્યો.

શુભમન ગિલે શનિવારે પર્થમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "બહાર ગમે તે નેરેટીવ ચાલતો હોય,અમારી વચ્ચે એવું કંઈ નથી. બધું પહેલા જેવું જ છે. તે ખૂબ જ મદદરૂપ છે અને હંમેશા પોતાના અનુભવો શેર કરે છે. હું તેમની પાસેથી સૂચનો માંગતો રહ્યો છું. મેં તેમને પૂછ્યું, 'જો તમે કેપ્ટન હોત તો તમે આ વિકેટ પર શું કરતા?' મને અન્ય ખેલાડીઓ પાસેથી સલાહ લેવી ગમે છે. મારા વિરાટ અને રોહિત બંને સાથે સંબંધો સારા છે. હું હંમેશા તેમની સલાહ લઉં છું, અને જ્યારે પણ તેમના મંતવ્યો આપવાની વાત આવે ત્યારે તેઓ ખચકાટ અનુભવતા નથી."

vtv app promotion

શુભમન ગિલને રોહિત વિશે પૂછવામાં આવતા તેને આ વાત કરી હતી. જેમાં તેને આગળ જણાવ્યું હતું કે, "આ એ ખેલાડીઓ છે જેમને હું બાળપણમાં પોતાનો આદર્શ માનતો હતો. તેમની જે ભૂખ હતી તેને પ્રેરણા આપી. આવા દિગ્ગજોનું નેતૃત્વ કરવું એ મારા માટે એક મોટા સન્માનની વાત છે. મને ખાતરી છે કે આ સીરીઝમાં અનેક મોકા હશે આવશે જ્યાં હું તેમની પાસેથી શીખી શકીશ. જો હું મુશ્કેલ પરિસ્થિતિમાં પડું તો હું તેમની સલાહ લેવામાં અચકાઈશ નહીં."

વધુ વાંચો : 'દરેકને ડર લાગે છે', શું છીનવાઇ જશે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ?

ભારતની ટીમ ઓસ્ટ્રેલીયા સામે ત્રણ વન ડે મેચની સીરીઝ રમવાની છે. જેના પહેલા ગિલે કેપ્ટનશીપને લઇ જણાવ્યું હતું કે, "એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માના વારસાને આગળ ધપાવવાની મારા માટે એક મોટી જવાબદારી છે. મને અનેક અનુભવ અને ઘણી શીખ મળી છે. રોહિત અને વિરાટ બંને સાથે મારે અનેક વખત વાત થઇ છે કે ટીમને કેવી રીતે આગળ લઇ જવી અને તેઓ ભારતીય ટીમમાં કઈ રીતનું કલ્ચર ઈચ્છે છે. મને લાગે છે તે શીખ અને અનુભવ ટીમને આગળ લઇ જવામાં મદદ કરશે". 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Shubman Gill Australia Tour

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ