બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:40 PM, 11 July 2025
Shubman Gill ODI Captain: રોહિત શર્માના ટેસ્ટ નિવૃત્તિ પછી, શુભમન ગિલને તેમનો ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો. ગિલ, જે હવે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટસિરીઝ માં કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ હજુ સુધી ODI ફોર્મેટને અલવિદા કહ્યું નથી, પરંતુ ભારતીય ODI ટીમના કેપ્ટન બદલવાનો વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી ODI સિરીઝમાં, ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા નહીં પરંતુ શુભમન ગિલ કરી શકે છે.
ADVERTISEMENT

હાલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, સ્ટ્રેટેજી એવી છે કે શુભમન ગિલ 2027 ના ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રોહિત કેટલો સમય સુધી પોતાની કેપ્ટનશીપ જાળવી શકશે. તે જ સમયે, એક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પણ ભારત તેની આગામી ODI સિરીઝ રમશે, ત્યારે શુભમન ગિલ રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનશીપ કરશે. જો આપણે વર્તમાન શીડ્યુલ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયા ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે તેની આગામી ODI શ્રેણી રમવાની છે.
ADVERTISEMENT

શુભમન ગિલના અત્યાર સુધીના ODI કરિયર પર નજર કરીએ તો, તેણે 55 મેચોમાં 59.04 ની પ્રભાવશાળી સરેરાશથી 2,775 રન બનાવ્યા છે. તેના નામે ODI ક્રિકેટમાં 8 સદી અને 15 અડધી સદી પણ છે.
ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાની આગામી ODI સિરીઝ ક્યારે રમાશે?
ADVERTISEMENT
ભારતીય ટીમની આગામી ODI સિરીઝ ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશ સાથે થવાની હતી, પરંતુ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જો બાંગ્લાદેશ સામે સફેદ બોલની શ્રેણી નહીં થાય, તો ટીમ ઇન્ડિયાની આગામી ODI સિરીઝઓકટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે હશે.
આ પણ વાંચો: ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ પછી મેઘરાજા ભૂક્કા બોલાવશે
ADVERTISEMENT
વર્ષ 2025 ના અંત પહેલા, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને પછી દક્ષિણ આફ્રિકા સામે ODI સિરીઝ રમવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.