બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:55 PM, 21 March 2026
CSK IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ એકબીજાનું પર્યાય બની ગયું છે. આઈપીએલ 2026 નજીક આવતાં ફરી એકવાર ‘થાલા’ના ભવિષ્ય અને તેની ભૂમિકાને લઈને ચર્ચાઓ તેજ બની છે. 44 વર્ષની ઉંમરે પણ ધોનીનો કરિશ્મા યથાવત છે. પરંતુ હવે પ્રશ્ન તેની બેટિંગ પોઝિશન અને ટીમમાં તેના રોલને લઈને ઊભો થયો છે.
ADVERTISEMENT
થાલા, કેપ્ટન કૂલ, માસ્ટરમાઇન્ડ અને માહી જેવા અનેક ખિતાબોથી નવાજવામાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર IPLમાં મેદાનમાં ઉતરવા તૈયાર છે. 28 માર્ચથી શરૂ થનારી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે પોતાનો પ્રથમ મુકાબલો રમશે. ધોનીની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે કે તે મેદાનમાં આવે તે પહેલાં જ સ્ટેડિયમમાં ઉત્સાહની લહેર ફરી વળે છે. તેની માત્ર હાજરી જ મેચને ખાસ બનાવે છે.
ADVERTISEMENT
MaSter of the craft! ⚔️ #WhistlePodu #Yellove pic.twitter.com/7iGWGra2v1
— Chennai Super Kings (@ChennaiIPL) March 13, 2026
ADVERTISEMENT
દરેક સીઝન સાથે એક પ્રશ્ન સતત ઊભો થાય છે. શું આ ધોનીની છેલ્લી IPL સીઝન હશે? જોકે ધોની હંમેશા આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતા રહ્યા છે. તેના ચાહકો ઈચ્છે છે કે તે વધુ સીઝન રમે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેની ઉંમર અને ટીમ કોમ્બિનેશન બંને આ નિર્ણયને અસર કરે છે. તેમ છતાં ધોનીએ પોતે કહ્યું હતું કે “જો હું વ્હીલચેરમાં હોઉં તો પણ CSK મને મેદાનમાં લઈ જશે” જે તેની ટીમ પ્રત્યેની લાગણી દર્શાવે છે.

ADVERTISEMENT
ચેન્નાઈ ટીમમાં હવે સંજુ સેમસન અને ઉર્વિલ પટેલ જેવા વિકેટકીપર વિકલ્પો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ધોનીની ભૂમિકા શું રહેશે તે મોટો પ્રશ્ન છે. શું તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે કે નિયમિત ખેલાડી તરીકે? ટીમ મેનેજમેન્ટ માટે આ એક મોટું ટેક્ટિકલ નિર્ણય બની શકે છે. કારણ કે એક તરફ યુવા ખેલાડીઓને તક આપવી છે, તો બીજી તરફ ધોનીનો અનુભવ પણ ટીમ માટે અમૂલ્ય છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સીઝનમાં ધોની સતત નીચલા ક્રમમાં બેટિંગ કરવા ઉતરી રહ્યો છે. IPL 2025 દરમિયાન તેણે ઘણીવાર 7, 8 અને 9 નંબર પર બેટિંગ કરી હતી. આંકડાઓ મુજબ તેણે 14 મેચોમાં 13 ઇનિંગ્સમાં ભાગ લીધો. જેમાં તેણે મોટા ભાગે અંતિમ ઓવરોમાં બેટિંગ કરી. ખાસ વાત એ છે કે તે બે વખત 9મા ક્રમે પણ ઉતર્યો હતો. જે તેની કારકિર્દી માટે અસામાન્ય છે. ચાહકો અને નિષ્ણાતો બંને માને છે કે ધોનીએ ઉપરના ક્રમમાં બેટિંગ કરવી જોઈએ જેથી તે મેચ પર વધુ અસર પાડી શકે.
ADVERTISEMENT

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સે પણ આ મુદ્દે ખુલ્લેઆમ અભિપ્રાય આપ્યો હતો. તેમના મતે ધોનીએ ઓછામાં ઓછા નંબર 6 અથવા ક્યારેક 5 પર બેટિંગ કરવી જોઈએ. ચેપોક સ્ટેડિયમના ચાહકો પણ આ જ ઈચ્છા ધરાવે છે. જ્યારે ધોની બેટિંગ માટે આવે છે ત્યારે સ્ટેડિયમનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.રવિન્દ્ર જાડેજાએ પણ એક વખત કહ્યું હતું કે ચાહકો ઈચ્છે છે કે તે વહેલો આઉટ થાય જેથી ધોનીને બેટિંગ કરતા જોઈ શકે. આ વાત ધોનીના પ્રભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
હાલમાં ચેન્નાઈ ટીમમાં રુતુરાજ ગાયકવાડ, ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓ છે. જેના કારણે બેટિંગ ઓર્ડર પહેલેથી જ મજબૂત છે. આથી ધોની માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નીચલા ક્રમમાં આવીને ઝડપી રન બનાવવાનો વિકલ્પ યોગ્ય લાગી શકે છે. પરંતુ વિરોધી ટીમો હવે તેની વ્યૂહરચનાને સમજી ચૂકી છે અને ખાસ કરીને સ્પિન બોલિંગનો ઉપયોગ કરે છે.

આખરે પ્રશ્ન એ નથી કે ધોની ક્યાં બેટિંગ કરે છે. પરંતુ એ છે કે શું તે ફરી એકવાર પોતાની જૂની ઝલક દેખાડી શકે છે? ‘હેલિકોપ્ટર શોટ’ સાથે મેચ ફિનિશ કરવાની તેની ક્ષમતા આજે પણ ચાહકોને આશા અપાવે છે. ધોની અને CSKનો સંબંધ માત્ર ખેલાડી અને ટીમનો નથી. તે એક લાગણી છે, જે આઈપીએલને વધુ વિશેષ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.