બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG : મુંબઈમાં સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા માટે સામે આવ્યા ગુડ ન્યૂઝ
Last Updated: 12:31 PM, 3 March 2026
India vs England Mumbai Weather Update : ICC T20 World Cupના બીજા સેમિફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને ટકરાશે. આ મહત્વપૂર્ણ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે રમાશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. મેચ પહેલા વરસાદની આશંકાને કારણે ચિંતા હતી. કારણ કે આ ટૂર્નામેન્ટમાં અગાઉ પણ કેટલીક મેચ વરસાદને કારણે રદ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
જો વરસાદને કારણે સેમિફાઇનલ રદ થાય તો ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડી શકે છે. જોકે હવે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર મળ્યા છે. 5 માર્ચે મુંબઈમાં વરસાદની શક્યતા 0 ટકા બતાવવામાં આવી છે. દિવસભર આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે. એટલે મેચ નિરાંતે પૂર્ણ થવાની સંભાવના વધારે છે.
હવામાન મુજબ તે દિવસે તાપમાન 25°C થી 28°C વચ્ચે રહેશે. ભેજનો સ્તર આશરે 35% આસપાસ રહેવાની ધારણા છે. એટલે ખેલાડીઓ અને દર્શકોને વધારે ભેજનો તકલીફદાયક અનુભવ થવાની શક્યતા ઓછી છે. આમ હવામાન ક્રિકેટ માટે અનુકૂળ રહેશે.
ADVERTISEMENT
ઉત્તર દિશાથી લગભગ 18 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. સાંજના સમયે આ ઠંડી હવા માહોલને વધુ આનંદદાયક બનાવશે. આવી પરિસ્થિતિમાં ખેલાડીઓને રમત રમવામાં સરળતા રહેશે અને દર્શકો પણ મેચનો આનંદ લઈ શકશે.
ADVERTISEMENT

તમારી માહિતી માટે ICC દ્વારા સેમિફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો 5 માર્ચે કોઈ કારણસર મેચ નહીં રમાઈ શકે તો 6 માર્ચે મેચ યોજાશે. પરંતુ જો રિઝર્વ ડે પર પણ મેચ શક્ય નહીં બને તો ICCના નિયમો મુજબ ટીમ ઈન્ડિયા બહાર થઈ શકે છે અને ઇંગ્લેન્ડને સીધો ફાઇનલમાં પ્રવેશ મળી શકે છે. તેથી આ મેચ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.