બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:43 AM, 24 November 2025
India vs South Africa ODI Series: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટીએ સાઉથ આફ્રિકા સામેની આ ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઇજાને કારણે ODI સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. જયારે ઓસ્ટ્રેલિયા સીરીઝ દરમિયાન થયેલી ઇજાને કારણે વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયર પણ ODI ટીમમાંથી બહાર છે.
ADVERTISEMENT
🚨 NEWS 🚨#TeamIndia's squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
— BCCI (@BCCI) November 23, 2025
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
ADVERTISEMENT
હવે સૌથી મોટો સવાલ એ છે કે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સીરીઝમાં શુભમન ગિલની ગેરહાજરીમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે. ભારતની ODI ટીમમાં યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડને ઓપનિંગ બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જો કે બંને ખેલાડીમાંથી યશસ્વી જયસ્વાલનું પલડું ભારે દેખાઈ રહ્યું છે અને તે સાઉથ આફ્રિકા સામેની આ ODI સીરીઝમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જયસ્વાલ પોતાના આકાશી છગ્ગાથી તોફાન મચાવી દે છે. ક્રીઝ પર આવતાની સાથે જ યશસ્વી જયસ્વાલ શ્રેષ્ઠ બોલરોને ધોવાનું શરૂ કરી દે છે.

ADVERTISEMENT
વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાઉથ આફ્રિકા સામેની ODI સીરીઝમાં કહેર મચાવવા માટે ઉત્સુક છે. યશસ્વી જયસ્વાલ ડાબા હાથનો બેટ્સમેન છે, જ્યારે રોહિત શર્મા જમણા હાથનો બેટ્સમેન છે. ટીમ ઇન્ડિયા માટે આ ડાબા હાથનું અને જમણા હાથનું ઓપનિંગ કોમ્બિનેશન સાઉથ આફ્રિકા સામેની ODI સીરીઝમાં સુપરહિટ સાબિત થશે. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે માત્ર એક જ ODI રમી છે, જેમાં તેણે 15 રન બનાવ્યા છે.

ADVERTISEMENT
યશસ્વી જયસ્વાલે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 36.15ની સરેરાશ અને 164.32ના સ્ટ્રાઈક રેટથી 723 રન બનાવ્યા છે, જેમાં 82 ચોગ્ગા અને 38 છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, યશસ્વી જયસ્વાલે 28 ટેસ્ટ મેચોમાં 49.93ની સરેરાશથી 2447 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી અને 12 અડધી સદી ફટકારી છે, જેમાં 2 બેવડી સદી પણ સામેલ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'ભારતે ટેસ્ટ જીતવી હશે તો...', રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયાને સલાહ, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રૂતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.