બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શુભમન ગિલ વનડેમાં કેપ્ટન બન્યા બાદ હવે ગૌતમ ગંભીરના ઘરે થશે પાર્ટી, જાણો કોણ-કોણ સામેલ થશે ?
Last Updated: 06:53 AM, 7 October 2025
Gautam Gambhir : ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ODI ટીમ અને તેમાં થયેલા બદલાવોથી ભારતીય ક્રિકેટ વર્તુળમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ટીમના પૂર્વ કપ્તાન રોહિત શર્માના સ્થાને યુવા ઓપનર શુભમન ગિલને ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો છે. આ નિર્ણય પસંદગીકારોએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે પરામર્શ કરીને લીધો છે. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, ટીમ ઈન્ડિયાને કોચ ગૌતમ ગંભીરના ઘરે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે આ રાત્રિભોજનનો સીધો સંબંધ ટીમ પસંદગી સાથે નથી.
ADVERTISEMENT
રાત્રિભોજનનું આયોજન ક્યારે અને ક્યાં થશે?
8 ઑક્ટોબર, 2025ના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાનાર તાલીમ સત્ર પછી ટીમ ઈન્ડિયા ગૌતમ ગંભીરના ઘરે રાત્રિભોજન માટે જશે. સ્પોર્ટ્સટેકના જણાવ્યા મુજબ ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રયાસ પાછળનો ઉદ્દેશ્ય ખેલાડીઓને અપચારિક વાતાવરણની બહાર થોડો આરામ અને પરસ્પર મજબૂત સહકાર વિકસાવવાનો છે.
ADVERTISEMENT

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ-બીજી ટેસ્ટ મેચની તૈયારી
ADVERTISEMENT
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 10થી 15 ઑક્ટોબર દરમિયાન અરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે રમાશે. પહેલી ટેસ્ટમાં ભારતે વિજય મેળવ્યા બાદ, ટીમ ઊંચા આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે.
આ પણ વાંચો : મોટી જાહેરાત! પાડોશી દેશની T20 લીગમાં ભારતીય ખેલાડીઓ રમશે, 1 ડિસેમ્બરથી થશે શરૂઆત
ADVERTISEMENT
પહેલી ટેસ્ટમાં ભારતનો ભવ્ય વિજય
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઇનિંગ અને 140 રનથી વિજય મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.