બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / MS ધોનીના ફેન્સને લાગશે આચકો! IPL 2026માં રમવા અંગે CSKના માલિકે કર્યો મોટો ખુલાસો
Last Updated: 11:20 AM, 6 November 2025
ચેન્નાઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) પૂરી થતાં જ, ક્રિકેટ ચાહકોમાં સૌથી મોટો પ્રશ્ન ઉઠ્યો – શું મહેન્દ્ર સિંહ ધોની હવે IPLમાંથી નિવૃત્તિ લેશે? ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે આ સિઝન ખાસ નહોતો અને ટીમ છેલ્લે 10મા ક્રમે રહી. આ પછી ધોનીના ભવિષ્ય અંગે ઘણી અટકળો ફેલાઈ. પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક કાસી વિશ્વનાથને એક સ્પષ્ટ અને ખુશખબર આપતી જાહેરાત કરી છે કે ધોની હજી IPLમાંથી દૂર નહીં થાય.
ADVERTISEMENT

CSKના માલિક કાશી વિશ્વનાથન એક ઇવેન્ટમાં હાજર હતા, જ્યાંનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક નાનો બાળક CSKના CEOને પૂછે છે કે “શું ધોની ટૂંક સમયમાં નિવૃત્તિ લેશે?” તેના જવાબમાં કાશી વિશ્વનાથન સ્મિત સાથે કહે છે, “ધોની નિવૃત્તિ નહીં લે. હું તેમને પણ આ વિશે પૂછીશ અને પછી તમને જણાવીશ.”
ADVERTISEMENT

આ જવાબ સાંભળીને ધોનીના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાોથી ધોની IPL 2026માં રમશે કે નહીં તે બાબતે અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ધોનીએ ખુદ પણ અગાઉ જણાવ્યું હતું કે તે પોતાની ફિટનેસ અને ઈચ્છા પર આધાર રાખીને નિર્ણય લેશે, પરંતુ હવે CSKના માલિકની આ ટિપ્પણી પછી એવું સ્પષ્ટ લાગે છે કે ધોની આગામી સિઝનમાં પણ પીળી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે.
ADVERTISEMENT
The CSK CEO said Thala Dhoniii is coming back in IPL2026.🤩💛#MSDhoni #IPL2026 #CSKpic.twitter.com/ElKBb5VqA5
— 𝙈𝙎𝘿𝙞𝙖𝙣 𝙎𝙖𝙪𝙧𝙖𝙗𝙝 (@mahi163199) November 5, 2025
IPL 2025 ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નિરાશાજનક રહ્યું હતું. ટીમ આખી સિઝનમાં લય શોધી શકી નહોતી અને અંતે પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને રહી. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનો પહેલો IPL ખિતાબ જીત્યો હતો, જ્યારે CSK જેવી ચેમ્પિયન ટીમ ખૂબ પાછળ રહી ગઈ.
ADVERTISEMENT

ધોનીનો પ્રદર્શન પણ આ વખતે સામાન્ય રહ્યો હતો. તેમણે IPL 2025ની 14 મેચમાં 13 ઇનિંગ્સ રમી અને 24.50ની સરેરાશ સાથે 196 રન બનાવ્યા. આ સિઝનમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 30 રન રહ્યો. તેમ છતાં, મેદાન પર તેમનું લીડરશિપ અને ટીમ સ્પિરિટ ચાહકોને હંમેશા પ્રેરિત કરતી રહી.
ADVERTISEMENT
CSKના માલિક કાશી વિશ્વનાથને જણાવ્યું કે ટીમ આગામી સીઝન માટે નવી રણનીતિ બનાવી રહી છે. તેમણે કહ્યું, “અમે જીતવા માટે રણનીતિ બનાવી રહ્યા છીએ, પરંતુ અમને ખબર નથી કે અમે જીતીશું કે નહીં. અમારી ટીમ સુધારાની પ્રક્રિયામાં છે.” આ જાહેરાત બાદ, ચેન્નાઈના ચાહકો અને ધોની પ્રેમીઓ માટે આ એક મોટી ખુશખબર બની છે. હવે સૌની નજર IPL 2026 પર છે, જ્યાં કદાચ ધોની છેલ્લી વાર મેદાનમાં ઉતરે – કે પછી ફરી એક વખત સૌને ચકિત કરી દે, એ તો સમય જ બતાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.