બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: વનડેમાંથી સંન્યાસને લઈ રોહિત શર્માનું ચોંકાવનારું નિવેદન, જુઓ વીડિયો
Last Updated: 04:46 AM, 12 September 2025
ભારતના વનડે ક્રિકેટના કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં તેમણે મુંબઈમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી અને તેની ઝલક સોશિયલ મીડિયા પર મૂકી. વીડિયોમાં રોહિત માત્ર એક જ લાઇન બોલતા જોવા મળ્યા, હું ફરીથી અહીં છું, અને આ અનુભવ અદ્ભુત છે. આટલું જ નિવેદન પૂરતું રહ્યું કે ચાહકો અને ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ સર્જાઈ ગયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂકેલા રોહિત હવે 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે કમબેક કરવા તૈયાર છે. આ શ્રેણી ખાસ બની શકે છે કારણ કે ઘણી અહેવાલો કહે છે કે કદાચ આ તેમનો છેલ્લો વિદેશી પ્રવાસ બની શકે. જોકે રોહિત પોતે 2027 વનડે વર્લ્ડ કપ સુધી રમવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કરી ચૂક્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
રોહિત શર્મા આ વર્ષે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. 2019–24 દરમિયાન ઓપનર તરીકેની સિદ્ધિએ તેમને ટેસ્ટ ક્રિકેટમાં આગવી ઓળખ આપી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ આસમાને, એટલા રૂપિયામાં તો કાર ખરીદી શકાય
રોહિત શર્મા ફેન્સ માટે માત્ર ખેલાડી નથી, પરંતુ એક ભાવના છે. નેટ્સ પરની તેમની મસ્ત સ્મિતભરી તસવીરો જોઈને લોકોમાં નવી આશા જન્મી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ લખી રહ્યા છે કે હિટમેન પાછો આવી રહ્યો છે અને હજુ ઘણું બાકી છે. હવે મોટો સવાલ એ છે કે, શું ઓસ્ટ્રેલિયા શ્રેણી પછી રોહિત વનડે ક્રિકેટમાંથી વિદાય લેશે કે પછી 2027 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાને આગળ ધપાવશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.