બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ' દારૂમાં આ ચીજ ભેળવવાને કારણે ઘટના બની', ભાવનગર લઠ્ઠાકાંડ પર SPનો મોટો ઘટસ્ફોટ
Last Updated: 04:26 PM, 20 August 2026
હાલમાં ભાવનગર લઠ્ઠાકાંડની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે SMCના SP મયુરસિંહ ચાવડાએ નકલી લઠ્ઠાકાંઠ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે દારૂમાં મિથેનોલ મિક્સ કરવાથી ઘટના સર્જાઈ હતી. ઈથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી દારૂ ઝેરી થયો હતો. તેમણે કહ્યું કે પીડિતો અને મૃતકોના લોહીમાંથી મિથેનોલ મળ્યું છે.
ADVERTISEMENT
લઠ્ઠાકાંડમાં 7 લોકોના મોત
ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત નિપજ્યાં છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો વિરૂદ્ધ FIR કરવામાં આવી છે.કે, આ કેસમાં ખુદ દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડોક્ટર'નું જ મોત નિપજ્યું છે. શિક્ષકનું ઘરમાં લોહીની ઉલટી દ્વારા મોત થયું છે.
ADVERTISEMENT
મિથેનોલ અને રો-મટીરીયલ અમદાવાદથી લવાયું
પોલીસ તપાસમાં મિથેનોલ અને રો-મટીરીયલ અમદાવાદથી લાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી નકલી દારૂ બનાવાયો હોવાની પોલીસને આશંકા છે. દારૂ બનાવવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેમાં પહેલા પ્રયાસમાં 51 પેટી દારૂ તૈયાર કરવામાં આવી હતી. તો ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર વહેંચવામાં આવી હતી.
ADVERTISEMENT
ઘોઘાના ખરકડી ગામે લઠ્ઠાકાંઠ
ADVERTISEMENT
ઘોઘાના ખરકડી ગામે 16 ઓગસ્ટના રોજ દારૂ પાર્ટી બાદ લઠ્ઠાકાંડનો ભાંડો ફૂટ્યો હતો. હજુ સુધી કેટલો નકલી દારૂ બનાવાયો અને ક્યાં-ક્યાં સપ્લાય કરાયો તે અંગે પણ પોલીસ તપાસ હાલમાં ચાલુ છે. આ સાથે હાથબ ગામમાં પણ લઠ્ઠાની અસરનો વધુ એક કેસ નોંધાયો છે. ગઈકાલે રાત્રે હરેશભાઈ ધર્મશીભાઈ ધાપાને લઠ્ઠાની અસર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. હાથબના કેસ સાથે અત્યાર સુધીમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.