બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 06:00 PM, 13 June 2023
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા બિપરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. જે બિપરજોયને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટે જણાવ્યું કે, હવે વાવાઝોડું દિશા નહીં બદલે તેમજ 15 જૂન બપોર સુધીમાં બિપરજોય લેન્ડફોલ થશે અને પછી વાવાઝોડું ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
વાવાઝોડું દિવસે લેન્ડફોલ થશે
સ્કાયમેટે એવું પણ અનુમાન કર્યું કે, વાવાઝોડાની આસપાસની હવાની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક છે તેમજ સમય જતા વાવાઝોડાની ગતિ 140 કિ.મી. પ્રતિ કલાકની રહેશે અને વાવાઝોડું દિવસે લેન્ડફોલ થશે તે પ્રમાણમાં રાહતની બાબત છે. સ્કાયમેટએ વધુમાં જણાવ્યું છે કે, રાત્રીના સમય સુધીમાં વાવાઝોડું ક્રમશ નબળુ પડશે અને વાવાઝોડું ગુજરાત અને કરાચીની વચ્ચે લેન્ડફોલ થશે તેમજ નલિયા, દ્વારકા, જામનગર, મોરબી, કંડલા, પોરબંદરમાં વ્યાપક અસર થશે.
સાવચેત રહો, સાવધાન રહો
અસરગ્રસ્ત વિસ્તારના લોકો 14 જૂનની સાંજથી 15 જૂનની સાંજ સુધી બહાર ન નિકળે તેવી સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું લેન્ડફોલ થયાના 3થી 4 કલાક પછી સ્થિતિ જોઈને બહાર નિકળવું.
શું કહ્યું હવામાન વિભાગે ?
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડું 10 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે. આ સાથે 130થી 135 કિમીની ઝડપે પવનફૂંકાશે. જેને લઈ હવે આજથી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાનનું માનીએ તો પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. આ સાથે 16 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. આ તરફ વાવાઝોડું રાજસ્થાન તરફ જવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh