બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:00 PM, 13 June 2023
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા બિપરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. જે બિપરજોયને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટે જણાવ્યું કે, હવે વાવાઝોડું દિશા નહીં બદલે તેમજ 15 જૂન બપોર સુધીમાં બિપરજોય લેન્ડફોલ થશે અને પછી વાવાઝોડું ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
વાવાઝોડું દિવસે લેન્ડફોલ થશે
સ્કાયમેટે એવું પણ અનુમાન કર્યું કે, વાવાઝોડાની આસપાસની હવાની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક છે તેમજ સમય જતા વાવાઝોડાની ગતિ 140 કિ.મી. પ્રતિ કલાકની રહેશે અને વાવાઝોડું દિવસે લેન્ડફોલ થશે તે પ્રમાણમાં રાહતની બાબત છે. સ્કાયમેટએ વધુમાં જણાવ્યું છે કે, રાત્રીના સમય સુધીમાં વાવાઝોડું ક્રમશ નબળુ પડશે અને વાવાઝોડું ગુજરાત અને કરાચીની વચ્ચે લેન્ડફોલ થશે તેમજ નલિયા, દ્વારકા, જામનગર, મોરબી, કંડલા, પોરબંદરમાં વ્યાપક અસર થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સાવચેત રહો, સાવધાન રહો
અસરગ્રસ્ત વિસ્તારના લોકો 14 જૂનની સાંજથી 15 જૂનની સાંજ સુધી બહાર ન નિકળે તેવી સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું લેન્ડફોલ થયાના 3થી 4 કલાક પછી સ્થિતિ જોઈને બહાર નિકળવું.
શું કહ્યું હવામાન વિભાગે ?
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડું 10 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે. આ સાથે 130થી 135 કિમીની ઝડપે પવનફૂંકાશે. જેને લઈ હવે આજથી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાનનું માનીએ તો પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. આ સાથે 16 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. આ તરફ વાવાઝોડું રાજસ્થાન તરફ જવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.