બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / નક્કી થઈ ગયો ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, હવે ખાલી જાહેરાત બાકી, બધાનો માનીતો છે!
Last Updated: 12:04 PM, 11 May 2025
રોહિત શર્માની નિવૃતી બાદ હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટનનું નામ જાહેર કરવાની છે પરંતુ તે પહેલાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ટેસ્ટના કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ લગભગ નક્કી છે. બીસીસીઆઈના એક સૂત્રે કહ્યું કે બુમરાહનું નામ ટેસ્ટ કેપ્ટનની યાદીમાં નથી.
ADVERTISEMENT
🚨 REPORTS 🚨
— Sportskeeda (@Sportskeeda) May 11, 2025
Shubman Gill has met Head Coach Gautam Gambhir and Chief Selector Ajit Agarkar to discuss the road map for Indian Test cricket. 📢
Gill is set to be announced as the new Indian Test captain on May 23rd or 24th. 🔥#Cricket #Gill #Agarkar #Gambhir #Test pic.twitter.com/r4teiTF5mB
પંતને વાઈસ કેપ્ટન બનાવી શકાય
ADVERTISEMENT
રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ઋષભ પંતને ટેસ્ટનો વાઈસ કેપ્ટન બનાવી શકાય છે. બીસીસીઆઈએ બન્નેના નામ નક્કી કર્યાં છે અને હવે 8 જુનના ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ટેસ્ટનો કેપ્ટન જાહેર થઈ શકે છે.
Not #JaspritBumrah! 27-Year-Old Star Set To Be Vice-Captain To #ShubmanGill In England Tour: Reporthttps://t.co/9FUmkUTIL5
— Times Now Sports (@timesnowsports) May 10, 2025
ADVERTISEMENT
રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. રોહિત શર્માને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવશે નહીં. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રોહિત 14 કે 15 મેના રોજ નિવૃત્તિની જાહેરાત કરવાના હતા, પરંતુ તેમણે એક અઠવાડિયા પહેલા જ તેની જાહેરાત કરીને હંગામો મચાવી દીધો. જે રિપોર્ટમાં રોહિત વિશે આટલી બધી માહિતી મળી હતી, તેમાં સૂત્રોના હવાલેથી એવું પણ લખવામાં આવ્યું હતું કે હવે બીજા એક ભારતીય ખેલાડીને પણ નિવૃત્તિનું અલ્ટીમેટમ મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.