બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદથી સોમનાથ સુધી..., શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યા

photo-story

7 ફોટો ગેલેરી

ગુજરાત / બોટાદથી સોમનાથ સુધી..., શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યા

Last Updated: 09:43 AM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણ માસના પ્રથમ દિવસની શરૂઆતથી દેશમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યો છે. વરસાદી માહોલ હોવા છતાં મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને હર હર મહાદેવના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યા હતા.

1/7

photoStories-logo

1. ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન

ગુજરાતના સોમનાથ અને બોટાદ સહિત મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ ભગવાન શિવની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ હોવા છતાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન સોમનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિર સંપૂર્ણ ભક્તિમય બની ગયું હતું અને ભક્તોએ ભાવપૂર્વક ભગવાન શિવના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઉજ્જૈનના મહાકાલ મંદિરે ભસ્મ આરતી માટે ભારે ઉત્સાહ

મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરે પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભસ્મ આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મહાકાલ મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભગવાન મહાકાલના દર્શન અને ભસ્મ આરતીમાં જોડાવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બોટાદના પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોની ભીડ

બોટાદમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરે પણ સવારથી જ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. અંદાજે અઢીસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર માનવામાં આવે

વૈજનાથ મહાદેવ મંદિર બોટાદ ગામના વસવાટના સમયનું પ્રાચીન અને અંદાજે અઢીસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીકરૂપે એકસાથે ત્રણ શિવલિંગ આવેલા છે. શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ ત્રણેય શિવલિંગની પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પૂજારીએ મંદિરના ઇતિહાસ અંગે આપી માહિતી

વૈજનાથ મહાદેવ મંદિરના પૂજારી રજનીભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, આ મંદિરની સ્થાપના તેમના વડવાઓએ કરી હતી. તેમણે જણાવ્યું કે મંદિરની અંદર દ્વારકાધીશ શંકરાચાર્યએ પણ પૂજા કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ મંદિર તેમના વડવાઓની અમૂલ્ય ભેટ છે અને દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા માટે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. પ્રથમ દિવસે વરસાદી વાતાવરણ હોવા છતાં આસ્થા અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો

શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદી વાતાવરણ હોવા છતાં સોમનાથ, ઉજ્જૈનના મહાકાલ અને બોટાદના વૈજનાથ મહાદેવ મંદિરોમાં ભક્તોની આસ્થા અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. મહાદેવના દર્શન, પૂજા-અર્ચના અને હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shravan Month Somnath Temple Mahakal Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ