બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Politics / shivraj patel statement about naresh patel join politics

નિવેદન / નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને દિકરાએ આપ્યા મોટા સંકેત, ગુજરાતનું રાજકારણ ગરમાયું

Khyati

Last Updated: 09:05 AM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને હજુ પણ કોઇ સ્પષ્ટતા નહી, સરવે બાદ રાજકારણમાં પ્રવેશ અંગે લેવાઇ શકે છે નિર્ણય

  • નરેશ પટેલના રાજકીય પ્રવેશમાં વધુ એક મુદ્દત
  • નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે મે મહિનામાં નિર્ણય લેશે
  • નરેશ પટેલની દિલ્લીની મુલાકાત ફળદાયી રહી હોવાની ચર્ચા

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હજી તો આ બધી અટકળો જ છે.  નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી. આપ, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય પાર્ટીઓના સંપર્કમાં છે. આ ત્રણેય પાર્ટીઓ સાથે બેઠકો કરી રહ્યા છે પરંતુ કયા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ કોઇ વાત સામે આવી નથી ત્યારે હવે ફરી એકવાર નરેશ પટેલ રાજકારણમાં  પ્રવેશને લઇને વધુ એક નિવેદન સામે આવ્યુ છે.

હવે મે મહિનામાં લેશે નિર્ણય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે,રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે ત્યારે  રાજકારણમાં એન્ટ્રીને લઇને વધુ એક મુદત પડી છે. નરેશ પટેલ રાજકારણમાં  પ્રવેશ લેશે કે કેમ તે અંગે મે મહિનામાં નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યુ છે. નરેશ પટેલની દિલ્લીની મુલાકાત ફળદાયી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. 

સર્વે ચાલુ છે- શિવરાજ પટેલ

નરેશ પટેલના પુત્ર  શિવરાજે કહ્યુ કે રાજકારણમાં જોડાવુ કે કેમ તે અંગે સરવે ચાલુ છે. મોટાભાગના લોકો કહે છે કે નરેશ પટેલ રાજકારણથી દૂર રહે. જો કે  આ અંગે દિનેશ કુંભાણી, રમેશ ટીલાળા સહિત સમૂહ મળીને સર્વે કરી રહ્યાં છે.  સર્વે પૂરો થયા બાદ નરેશ પટેલ નક્કી કરશે કે રાજકારણમાં જવું કે નહીં ? ખોડલધામની પોલિટિકલ કમિટી સર્વે કરી હોવાનો નરેશ પટેલના પુત્ર શિવરાજે દાવો કર્યો છે.

ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત - સૂત્ર

નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે ખાસ સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે કે ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. નરેશ પટેલ માટે ખોડલધામના બંધારણમાં ફેરફાર થઈ શકે છે. નરેશ પટેલ રાજકારણ સાથે ખોડલધામના ચેરમેન પણ રહેશે. બંધારણ મુજબ રાજકારણમાં જતાં પહેલાં પદ છોડવું પડે છે. પણ હવે નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નક્કી થતા બંધારણમાં ફેરફારના વરતારા દેખાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે નરેશ પટેલના પરિવારના જ ખોડલધામના ચેરમેન રહે છે.

ઉમિયાધામના બંધારણમાં તો..
આપને જણાવી દઈએ કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે તેવુ વાતો પણ થઈ રહી છે કારણ કે ખોડલધામના બંધારણ મુજબ રાજનીતિમાં પ્રવેશતાની સાથે જ પદ છોડવું જરૂરી છે પણ આ પહેલા બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓનો વિપરીત મત રજૂ કર્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો હતો કે જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. જો કે સમગ્ર મુદ્દે નરેશ પટેલનો નિર્ણય આખરી રહેશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે તો તેમના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતાઓ છે. દિનેશ કુંભાણી નરેશ પટેલની નજીકના વ્યકિત છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ