ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જો હિંદુત્વ વિચારક વીર સાવરકર એ સમયે દેશના પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન અસ્તિત્વમાં જ ના હોત. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હિંદુત્વ વિચારક વીર સાવરકરના વખાણ કરતાં એમને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગણી કરી.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરના વખાણ કર્યા
ઠાકરેએ કહ્યું કે સાવરકર દેશના પીએમ હોત તો પાકિસ્તાન બન્યું ના હોત
એમને વીર સાવરકરને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગ કરી
ઠાકરે આ વાત સાવરકર પર આવેલી એક પુસ્તકના વિમોચનના પ્રસંગે કહી
શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ હિંદુત્વ વિચારક વીર સાવરકરના વખાણ કરતાં એમને ભારત રત્ન આપવાની માગણીનું સમર્થન કર્યું. મંગળવારે ઠાકરેએ કહ્યું કે જો હિંદુત્વ વિચારક વીર સાવરકર એ સમયે દેશના પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન અસ્તિત્વમાં ના હોત. એમને વીર સાવરકરને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગણી કરી.
Shiv Sena Chief Uddhav Thackeray in Mumbai: If Veer Savarkar would have been the Prime Minister of this country then Pakistan would not have even born. Our government is Hindutva govt & today also I demand Bharat Ratna for Veer Savarkar. pic.twitter.com/sRkfnt58IH
ઠાકરે એક આત્મકથા 'સાવરકર: ઇકોઝ ફ્રૉમ અ ફૉરગાટેન પાસ્ટ' ના વિમોચનના પ્રસંગે આ વાત કહી. તેઓએ કહ્યું, 'સાવરકરને ભારત રત્ન સમ્માનથી સમ્માનિત કરવામાં આવે. અમે મહાત્મા ગાંધી અને પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વરાા કરવામાં આવેલા કામની ના પાડતા નથી, પરંતુ દેશના બે થી વધારે પરિવારોને રાજકારણ દ્રશ્યને શરૂ કરતા જોયા.' જણાવી દઇએ કે શિવસેના પહેલાથી સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરતી રહી છે.
ઠાકરેએ આગળ જણાવ્યું કે,
'એમને નહેરુને વીર કહેવામાં કોઇ સમસ્યા ના હોતી જો તેઓ 14 મીનિટ પણ જેલની અંદર સાવરકરની જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષો સુધી જેલમાં રહ્યા હતા.' એમને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગાંધીને આ પુસ્તકની એક કોપી આપવી જોઇએ.