શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઠાકેરેએ કહ્યું કે, મણિશંકર અય્યરની જૂતાથી પીટાઇ કરવી જોઇએ. આ સિવાય તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને પણ પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને લઇને કહ્યું કે મૂરખ છે અને હવે તેમની પાસે બહુ સમય છે. પ્રધાનમંત્રી બનાવવાના પ્રયત્નો કરતા પહેલા તેમણે દેશને સમજવાના પ્રયત્નો કરવા જોઇએ.
મનાઇ રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન વીર સાવરકરના સંદર્ભમાં આવ્યું છે. મણિશંકર અય્યર કેટલીક વખત વીર સાવરકરને લઇને વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ કહ્યું હતું કે જે લોકો વીર સાવરકરની વિચારધારાને નથી માનતા તેમણે સાર્વજનિક રીતે મારવા જોઇએ.
દિલ્હી યૂનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં વીર સાવરકરની મૂર્તિ પર શાહી લગાવવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના સન્માનિત વ્યક્તિ સાવરકરનું અપમાન કરનારાઓને સૌએ મળીને માર મારવો જોઇએ તેથી તેમને સ્વતંત્રતાની કિંમત સમજમાં આવશે. જે લોકો સાવરકરનું સન્માન નથી કરતા તેમણે એક વાર સૌએ મળીને મારવા જોઇએ. તેમણે કહ્યું કે સાવરકરનું અપમાન કર્યું, જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે, તેમને આઝાદીની કિંમત સમજમાં નહીં આવે.
બાલ ઠાકરેએ ચલાવ્યું હતું જૂતા મારો અભિયાન
વર્ષ 2004માં જ્યારે મણિશંકર અય્યર પેટ્રોલિયમ મંત્રી હતા તો તેમણે સ્વંત્રતા સેનાનીનું અપમાન કરવાનું સાહસ દેખાડ્યું હતું, સાથે જ કોંગ્રેસ સરકારના અંદમાનની સેલ્યુલર જેલથી વીર સાવરકરના નિવેદન વાળી તક્તિઓ હટાવી દીધી હતી. ત્યારે શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ જૂતા મારો અભિયાન ચલાવ્યું હતું. શિવસેના શરૂઆતથી જ સાવરકર પ્રત્યે સંવેદનશીલ અને ભાવનાત્મક રહી છે.