બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / once again Uddhav Thackeray demands law for Ram temple

મુંબઇ / ચૂંટણી આવતા જ શિવસેના 'રામ' ના સહારે, ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર મુદ્દે આપ્યું નિવેદન

Kavan

Last Updated: 06:09 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે મુંબઈના બેસ્ટ ભવનમાં બોલી રહ્યા હતા ત્યારે કહ્યું કે જો કોર્ટમાં વધુ લાંબો સમય લાગશે તો રામ મંદિરનું નિર્માણ એક ખાસ પ્રસ્તાવ લાવીને કરવું જોઈએ. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર પર પૂરો વિશ્વાસ દાખવતા કહ્યું કે,'સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે અમારી રામ મંદિર નિર્માણની આશાઓ વધી ગયેલ છે.

  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી  પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન 
  • કલમ 370 હટાવ્યા બાદ રામમંદિર માટે પણ અલગ કાયદો લાવવા માટે સરકારને રજૂઆત
  • પાકિસ્તાનમાં હિંદુઓ પર થતી યાતનાઓ પર ઉઠાવ્યા સવાલ 

રામ મંદિર માટે કાયદો બનાવવા કરી માગ

હવે તેના માટે રાહ જોવાનો સવાલ જ ઉભો થતો નથી. અમે રામ મંદિરના નિર્માણ માટે અલગ કાયદાની માંગ કરી છે જો કોર્ટમાં આ મામલો વધુ સમય માટે લંબિત રહે તો તેના નિર્માણ માટે કાયદો બનાવવો જોઈએ'

શિવસેનાના કાર્યકર્તાઓને રામમંદિર માટે તૈયાર રહેવા કર્યું આહવાહન 

તેમણે વધુમાં જણાવ્યું કે 'સરકારે જેમ કલમ 370 હટાવ્યું એમજ રામ મંદિર બનાવવા માટે પણ સંસદમાં કાયદો લાવવામાં આવે છે.' તેમણે શિવસેનાના કાર્યકર્તાઓને રામમંદિરનો પાયો નાખવા પહેલી ઈંટ મુકવા તૈયાર રહેવા આહવાહન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેના દિવસોથી રામમંદિર શિવસેના માટે મોટો મુદ્દો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રામમંદિર વિવાદ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિગ પડેલ છે અને તેની નિયમિત સુનાવણી પણ કરવામાં આવી છે તે પહેલાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાની પણ ઘણા નિષ્ફળ પ્રયત્નો કરાયા છે.  

ram mandir Ayodhya title suit case VHP sharad sharma supreme court temple stone
રામ મંદિરની દીવાલ

ચૂંટણી સમયે રામ મંદિરનો મુદ્દાનો કરાયો ઉપયોગ

નોંધનીય છે કે જ્યારે લોકસભાની ચૂંટણી થવાની હતી ત્યારે ઉદ્ધવ ઠાકરે પોતે અયોધ્યા ગયા અને શિવસેનાએ રામમંદિરના નિર્માણ માટે અંદોલન કરી ભાજપને તેનો વાયદો પૂરો કરવા કહ્યું હતું પરંતુ ભાજપએ કોર્ટના ચુકાદાની રાહ જોવાનો નિર્ણય લેતા શિવસેના શાંત થઇ હતી. હવે જયારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે શિવસેના પોતાના મૂળ હિન્દુત્વના મુદ્દા પર પરત ફરી છે અને રામમંદિરના નિર્માણની માંગણી કરી છે.

Ayodhya Case
બાબરી મસ્જિદ અને અયોધ્યોના કિલોમીટર દર્શાવતું બોર્ડ 


 
હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો પર ઉઠાવ્યા સવાલ 

ભારતમાં ચૂંટણીના સમયે પાકિસ્તાન પણ ચર્ચાનો વિષય બનીને રહે છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પાકિસ્તાનમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો પર સવાલ ઉઠાવ્યા અને તેની જેટલી નિંદા કરો એટલી ઓછી છે તેમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતીય મુસ્લિમોને સંબોધતા કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની જે સ્થિતિ છે તે સ્થિતિ ભારતમાં ઈચ્છતા નથી.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Ram temple Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે ચૂંટણી રામ શિવસેના Uddhav Thackeray
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ