કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાને પીએમ મોદીએ 15 ઑગસ્ટનાં રોજ આપેલ ભાષણ ખૂબ સારું લાગ્યું. સિંહાએ ટ્વિટર પર કહ્યું કે, ભાષણ 'સાહસિક' અને 'વિચારોત્તેજક' હતું. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા સુધી તો શત્રુઘ્ન સિંહા પીએમ મોદીની દરેક વાતની અને નીતિની બરાબર નિંદા કરી રહ્યાં હતાં. નોટબંધી, જીએસટી અને ઑપરેશન બાલાકોટ સુધીનાં મુદ્દા પર શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં.
જો કે બાદમાં જે દિવસથી ભાજપ છોડી દીધું હતું તે દિવસથી કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, બીજેપી હવે અટલ-અડવાણીવાળી પાર્ટી નથી રહી. કોંગ્રેસ પાર્ટીએ તેમને પટના સાહિબ સીટથી ટિકિટ આપી હતી કે જ્યાંથી તેઓએ બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતાં. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તેમની વિરૂદ્ધ ચૂંટણી લડી. આ હાઇપ્રોફાઇલ મુકાબલામાં શત્રુઘ્ન સિંહા પોતાની સીટને બચાવી ના શક્યા અને તેમને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પહેલા શત્રુઘ્ન સિંહાએ ભાજપને 'ટૂ મેન આર્મી, વન મેન શૉ' કહ્યું હતું.
Since I'm famous or infamous for calling a spade a spade, I must admit here, Hon'ble PM @narendermodi@PMOIndia that your speech from the #RedFort on 15th Aug’19 was extremely courageous, well researched & thought provoking. Superb delivery of the key problems facing the country.
જો કે તેમનાં નવા ટ્વિટ પર એક વાર ફરીથી અનુમાન લાગશે તે નક્કી છે. તેમણે લખ્યું કે, શું હું સફાઇ આપવા માટે ઓળખાવું છું અને માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી આપનું સ્વતંત્રતા દિવસના રોજ થયેલું ભાષણ એ ખૂબ સાહસિક, સારી રીતે રિસર્ચ કરેલ અને વિચારોત્તેજક હતું.' આપણે જણાવી દઇએ કે પીએમ મોદીનાં ભાષણની પ્રશંસા કરનારા શત્રુઘ્ન સિંહા એકલા કોંગ્રેસ નેતા નથી. આ પહેલા પી. ચિદંમ્બરમે પણ ટ્વિટ કરીને પીએમ મોદીનાં ભાષણની ત્રણ વાતોની પ્રશંસા કરી હતી.