બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 02:07 PM, 1 May 2023
ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ (The Kerala Story) નું ટ્રેલર રિલીઝ થયા પછી આ ફિલ્મ વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ છે. 4 દિવસ પહેલા વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અદા શર્મા લીડ પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે કે, ISISએ કેરળની 32,000 હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને તેમને લવ જેહાદનો શિકાર બનાવી અને આતંકવાદ સાથે જોડાયેલ કામમાં શામેલ કરી હતી. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થશે, પરંતુ આ ફિલ્મ બાબતે મોટા મોટા રાજનેતાઓએ ટ્વિટ કરીને ફિલ્મની ટીકા કરી છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
The Kerala Story ટ્રેલર
કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું છે કે, ‘આ તમારી કેરલ સ્ટોરી હોઈ શકે છે, પરંતુ આ અમારી કેરલ સ્ટોરી નથી.’ શશી થરૂરે અન્ય ટ્વિટ કર્યું છે કે, ‘32,000 હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને તેમને લવ જેહાદનો શિકાર બનાવી તે સાબિત કરો અને એક કરોડ લઈ જાવ.’ સોશિયલ મીડિયા યૂઝર્સ આ ટ્વિટ પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. શશી થરૂરના આ ટ્વિટ પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, તેઓ ફિલ્મની કહાની પર વિશ્વાસ કરતા નથી. શશી થરૂર પહેલા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ ફિલ્મની ટીકા કરી હતી. પિનરાઈ વિજયને આ ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, ‘લવ જેહાદ’નો મુદ્દો ઉઠાવીને સંઘ પરિવારના એજન્ડાનો પ્રચાર કરી રહ્યા છે.
Now there’s an opportunity for all those hyping the alleged conversions of 32,000 women on Kerala to Islamism — to prove their case and make some money. Will they be up to the challenge or is there simply no proof because none exists? #NotOurKeralaStory pic.twitter.com/SrwaMx556H
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2023
It may be *your* Kerala story. It is not *our* Kerala story. pic.twitter.com/Y9PTWrNZuL
— Shashi Tharoor (@ShashiTharoor) April 30, 2023
કેરલ સ્ટોરી
વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નું નિર્દેશન સુદિપ્તો સેને કર્યું છે. ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ કહાની સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે, કેવી રીતે કેરળની હજારો યુવતીઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું અને ISISમાં શામેલ કરવા માટે મજબૂર કરવામાં આવી છે. ફિલ્મની લીડ અભિનેત્રી અદા શર્મા હિંદુ મલયાલી નર્સ ફાતિમાની ભૂમિકા ભજવી રહી છે. જે કેરળમાંથી ગુમ થયેલ 32,000 મહિલાઓમાં શામેલ છે અને પછી ISISમાં શામેલ થઈ. આ વિવાદ સામે આવ્યા પછી ફિલ્મ નક્કી કરેલ તારીખે રિલીઝ થશે કે નહીં, તે જોવું રહ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime