બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / SHANKER SINGH VAGHELA TO JOIN CONGRESS AGAIN GUJARAT ELECTIONS 2022

રાજકારણ / 'બાપુ' ફરી પાટલી બદલે છે: શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રિ-એન્ટ્રીને લઈને મોટા સમાચાર

Published By: Parth

Last Updated: 10:50 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણીને પહેલા રાજકારણ ગરમાયું, કોંગ્રેસમાં ફરીથી સામેલ થઈ શકે છે શંકરસિંહ વાઘેલા

  • ગુજરાતમાં ચૂંટણી પહેલા મોટા સમાચાર 
  • ફરી કોંગ્રેસમાં સામેલ થશે પૂર્વ CM બાપુ 
  • ગઇકાલે જ પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઇન કર્યું 

બાપુ કરશે કમબેક
ગુજરાતમાં ચૂંટણીમાં પડઘમ પ્રચંડ થઈ ગયા છે, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર ખૂબ તેજ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઑ ભલે ગુજરાતથી દૂરી બનાવીને ચાલી રહ્યા હોય પણ પ્રાદેશિક નેતાઓ પ્રચારની સાથે સાથે મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરાવવા માટે મહેનત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગઇકાલે જ મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઇન કર્યું છે ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકર સિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રિ એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં શંકરસિંહ વાઘેલા કોઈ પણ શરત વગર જ પાર્ટીમાં આવી જવા માટે તૈયાર છે. 

મોટું એલાન સંભવ 
શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં તમામ વાતો નક્કી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને શંકરસિંહ વાઘેલાની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર મધ્યસ્થતા કરી રહ્યા છે. એવામાં આગામી દિવસમાં મોટું એલાન કરવામાં આવી શકે છે. 

2017 માં છોડી હતી પાર્ટી 
શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના 'ટનાટન' પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના કપડા મંત્રી રહી ચુક્યા છે. 2017 માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી,પણ એ પહેલા તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી 'રવાના ' કરાવ્યા. પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી . રાજ્ય સભાની ચૂંટણી વેળા,  ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા 'જન વિકલ્પ'મોરચો રચ્યો. પણ તેમાંથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ચૂંટણી નાં લડાવી. પાછળથી મહેન્દ્રસિંહ  ( કદાચ પખવાડીયા પુરતા જ ) ભાજપમાં આવ્યા. શંકરસિંહને ભાજપમાં લાભ જોવા મળ્યો, પણ પછી સ્થિતિ પારખી પારોઠના પગલા ભર્યા. 

શંકરસિંહ વાઘેલાએ ક્યારે છોડ્યો હતો કોંગ્રેસનો સાથ?

  • 2017ની ચૂંટણી પહેલા શંકરસિંહ મુખ્યમંત્રીના ઉમેદવારની જીદ લઈને બેઠા હતા
  • કોંગ્રેસ શંકરસિંહને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેવી જીદ હતી
  • શંકરસિંહે નક્કી કરી લીધું કે હવે કોંગ્રેસ તેમને સીએમ પદના ઉમેદવાર નહી બનાવે
  • એ સમયે જ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થવાની હતી
  • બરાબર 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી થવાની હતી
  • કોંગ્રેસને ભનક લાગી કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થશે
  • શંકરસિંહે પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને પાંચમાં ઉમેદવાર તરીકે ઉભા રાખેલા
  • પ્લોટ એવો હતો કે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપે
  • કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં રહીને ક્રોસ વોટિંગ કરે અને બળવંતસિંહને જીતાવે
  • કોંગ્રેસને શંકરસિંહની આખી ગેમની ગંધ આવી ચૂકી હતી
  • કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને 2 ક્રોસ વોટિંગ કરવાના હતા
  • કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલુરુના રિસોર્ટમાં પહોંચી
  • કોંગ્રેસ તરફી 2017માં છોટુ વસાવાએ મતદાન કરેલું અને અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
  • બળવંતસિંહ જીતે તો અહેમદ પટેલની હાર થાય એમ હતી
  • રાજ્યસભાની આ ચૂંટણી પછી શંકરસિંહ કોંગ્રેસને ન ગમતા નેતા બની ગયા હતા
  • કોંગ્રેસે એ પણ આરોપ લગાવેલો કે તેમના પર કેસ થયા છે તેના બદલામાં ભાજપને મદદ કરે છે

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ