બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani Margi in Kumbh Rashi from 4 november 2023 will affect vrishabh sinh and kumbh rashi people

ધર્મ / દિવાળી પહેલા આ 3 રાશિના જાતકોના ઘરે ઘીના દિવડાં થશે, શનિદેવ માર્ગી થવાના કારણે ખૂબ ધનલાભના યોગ

Vaidehi

Last Updated: 03:18 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Margi in Kumbh Rashi: વૈદિક જ્યોતિષમાં વિવિધ ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે. તેની સાથે જ તેમનો ઉદય-અસ્ત અને વક્રી-માર્ગી થવાનું પણ ચાલુ રહે છે. શનિ દેવ હાલમાં વક્રી અવસ્થામાં છે પણ ટૂંક જ સમયમાં માર્ગી થશે.

  • 4 નવેમ્બર 2023નાં શનિ દેવ માર્ગી થશે
  • શનિ દેવનાં માર્ગીની અસર તમામ રાશિનાં જાતકો પર 
  • દિવાળી પહેલાં 3 રાશિનાં જાતકોનું થશે ભાગ્યોદય

ન્યાયનાં દેવતા, દંડાધિકારી અને કર્મ ફળદાતા શનિ દેવ રાશિ પરિવર્તન કરવામાં અઢી વર્ષનો સમય લેતાં હોય છે. જાન્યુઆરી 2023માં ગોચર કરીને તેઓ કુંભ રાશિમાં પ્રવેશ્યાં હતાં. માર્ચ 2025 સુધી શનિ દેવ ત્યાં જ રહેશે. આ દરમિયાન શનિ અનેકવાર પોતાની અવસ્થા બદલે છે. દિવાળી પહેલાં શનિ દેવ 4 નવેમ્બર 2023નાં માર્ગી થઈ રહ્યાં છે. શનિ દેવનાં માર્ગી થવાની અસર તમામ 12 રાશિઓ પર પડશે પણ આ 3 રાશિઓ પર શનિદેવની ખૂબ કૃપા વરસશે:

વૃષભ
વૃષભ રાશિનાં જાતકોને શનિનાં માર્ગીનો મોટો લાભ મળશે. આ લોકો ઘણાં સારા પૈસા કમાઈ શકે છે. આ દરમિયાન આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે અને નોકરિયાત લોકોને પદ-પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થશે. પ્રગતિની નવી તકો મળશે.

સિંહ
શનિ માર્ગીનો ફાયદો સિંહ રાશિનાં લોકોને થવાનો છે. તેમને ભાગ્યનો સાથ મળશે અને દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે. આવકમાં વધારો શક્ય છે.

કુંભ
કુંભ રાશિનાં જાતકોનાં આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારીઓને લાભ થશે. જીવનમાં સુખ-સુવિધાઓમાં પણ વધારો શક્ય છે. અટકેલા કામ પાર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ