બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
જો કે, અફઘાનિસ્તાન સરકારે દેશનાં 100માં સ્વતંત્રતા દિવસ સમારોહને શનિવારનાં રોજ થયેલા બ્લાસ્ટ બાદ જ સ્થગિત કરી દેવાયો હતો. આ પહેલાં શનિવારનાં રોજ રાજધાની કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં 63 લોકોનાં મોત થયાં હતાં અને સાથે સાથે 185 લોકો ઘાયલ થયા હતાં અને આ હુમલાની આઇએસએ જવાબદારી લીધી હતી.
66 civilians wounded in multiple blasts in Jalalabad city of Nangarhar province on Afghanistan Independence day: Pajhwok Afghan News (Pic courtesy - Reuters) pic.twitter.com/cRnaBuMBY7
— ANI (@ANI) August 19, 2019
ADVERTISEMENT
એક ન્યુઝ ચેનલ અનુસાર, રાષ્ટ્રપતિનાં પ્રવક્તા સેદિક સેદિક્કીએ કહ્યું કે, સચિવાલયે રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીનાં નિર્દેશ પર અફઘાનિસ્તાનનાં 100માં સ્વતંત્રતા સમારોહનાં આયોજનને ટાળી દેવાયું હતું. રાષ્ટ્રપતિએ કાબુલમાં થયેલા વિસ્ફોટમાં ઠાર કરવામાં આવેલ લોકોનાં પરિવારો પ્રત્યે સમ્માન અને સંવેદના વ્યક્ત કરવા માટે આ નિર્ણય લીધો.
ADVERTISEMENT
#UPDATE At least 40 people have been killed and more than 100 others are wounded in the blast at Kabul wedding, said sources: TOLOnews #Afghanistan https://t.co/GpsCoWesvM
— ANI (@ANI) August 18, 2019
ADVERTISEMENT
8 ઓગસ્ટના પણ થયો હતો હુમલો:
કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં આ મહિનાનો બીજો હુમલો છે. 8 ઓગસ્ટના થયેલા બ્લાસ્ટમાં 14 લોકો માર્યા ગયા હતા, જ્યારે 145થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રશ્ચિમી વિસ્તારમાં અફધાન સુરક્ષાકર્મચારીઓને તાલિબાને પોતાનો નિશાનો બનાવ્યા હતા. આ માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ ગ્રુપના આંતકી આ પ્રકારના હુમલાઓને અંજામ આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.