ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly election) નજીક આવતાની સાથે જ પક્ષપલ્ટાની મૌસમ પણ જામી છે, ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ (Congress) સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપનો (BJP) કેસરીયો ધારણ કરશે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે જામી પક્ષપલ્ટાની મૌસમ
પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર કરશે કેસરીયા
17 ઓગસ્ટે વિધિવત રીતે કરશે પ્રવેશ
ઉલ્લેખીય છે કે, આજે બંને નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને PM મોદીના નેતૃત્વમાં ભાજપમાં જોડાઇ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે આ બંને નેતાઓ 17 ઓગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધીવત રીતે ભાજપમાં જોડાશે.
તાજેતરમાં જ આપ્યું કોંગ્રેસી નેતાએ આપ્યું છે રાજીનામું
નરેશ રાવલે (naresh raval) કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.'