જે લોકોનું આ બેંકમાં સેલરી એકાઉન્ટ છે તેમના માટે સારાં સમાચાર. આ 5 જબરદસ્ત ફાયદા મળશે.
SBI બેંક આપી રહી છે ગજબ ફાયદા
SBIમાં સેલરી એકાઉન્ટ ધરાવતા લોકો માટે સારાં સમાચાર
ઝીરો બેલેન્ટ એકાઉન્ટ સિવાય મળે છે અન્ય લાભ
જો તમે નોકરી કરો છો તો કંપનીએ તમારું સેલરી એકાઉન્ટ ઓપન કર્યું જ હશે. દર મહિને આ જ એકાઉન્ટમાં સેલરી ક્રેડિટ થાય છે. જ્યારે કેટલીક કંપનીઓ જૂના ખાતાને જ સેલરી એકાઉન્ટ કન્વર્ટ કરી દે છે. આ સિવાય કેટલીક કંપનીઓ તમને 2થી 3 બેંકોનો વિકલ્પ પણ આપે છે. પરંતુ જો તમારું સેલરી એકાઉન્ટ એસબીઆઈમાં છે તો ઘણાં લાભ મળે છે.
એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in અનુસાર, એસબીઆઈના સેલરી ખાતાના લાભોમાં વીમા લાભ ઉપરાંત વ્યક્તિગત લોન, હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન વગેરે પર છૂટ સામેલ છે. આ સિવાય, કેટલાક અન્ય ફાયદાઓ છે જે એક એસબીઆઇ પગાર ખાતાધારકે જાણવા જોઈએ.
એસબીઆઈ પગાર ખાતાના 5 ફાયદા
આકસ્મિક મૃત્યુ કવર
એસબીઆઈના પગાર ખાતાધારકોને 20 લાખ સુધીના આકસ્મિક મૃત્યુ કવર માટે હકદાર છે.
એસબીઆઈના પગાર ખાતાધારક કોઈપણ લોન, પર્સનલ લોન, હોમ લોન, કાર લોન વગેરે પર 50 ટકા પ્રોસેસિંગ ફી માટે પાત્ર છે.
ઓવરડ્રાફટ સુવિધા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના પગાર ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા પણ પૂરી પાડે છે. એસબીઆઈના પગાર ખાતાધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ બે મહિના સુધીનો ઓવરડ્રાફટ મળે છે.
લોકર ફીમાં છૂટ
એસબીઆઈ તેના પગાર ખાતા પર લોકર ફી પર 25 ટકા સુધીની છૂટ આપે છે.