બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Sai Baba Temple in Shirdi to reopen from this date check guidelines and other details

મહારાષ્ટ્ર / સાંઈબાબાના ભક્તો માટે આનંદો! આ તારીખથી ખુલશે શિરડી મંદિરના કમાડ; જાણો ગાઈડલાઇન્સ

Published By: Shalin

Last Updated: 06:19 PM, 15 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતભરના ભક્તોથી ઉભરાતું શિરડીનું સાંઈબાબા મંદિર હવે સોમવારથી એટલે કે 16 નવેમ્બરથી ફરી ખુલવા જઈ રહ્યું છે.

નોંધનીય છે કે ઠાકરે સરકારે હાલમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે માર્ચથી લાગુ કરેલ લોકડાઉન પછી હવે મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે. 

કોરોના વાયરસ હજુ આપણી આસપાસ છે

CM ઠાકરેએ મહારાષ્ટ્રના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આપણે ભૂલવું ન જોઈએ કે કોરોના વાયરસ હજુ આપણી આસપાસ છે. લોકોએ હજુ પણ શિસ્તમાં રહેવું પડશે. હોળી, ગણેશ ચતુર્થી, નવરાત્રી, ઈદ, માઉન્ટ મેરી જેવા તમામ તહેવારોમાં જે શિસ્ત જળવાયું છે તેવું જ વર્તન ધાર્મિક સ્થળોએ રાખવું પડશે.

આ રહેશે શિરડી મંદિરના નિયમો

અહેવાલ પ્રમાણે સોમવારે સાંઈ બાબાનું મંદિર ખુલતા પહેલા કકડ આરતી કરવામાં આવશે. કોરોનાના સેફટી  પ્રોટોકોલ્સને પગલે પ્રતિ દિન ફક્ત 6000 ભક્તો અને પ્રતિ કલાક ફક્ત 900 ભક્તો પ્રવેશ કરી શકશે.

ભક્તો દર્શન માટે ઓનલાઇન એપ્લાય કરી શકશે અથવા શિરડીમાં તેમણે ટોકન લેવું પડશે.

65 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષથી નાના ભક્તો માટે પ્રવેશ નિષેધ રહેશે. તમામ ભક્તો માટે માસ્ક પહેરવો ફરજીયાત હશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ભક્તોએ પ્રવેશતા પહેલા પગ પણ ધોવા પડશે.    

સંકળાયેલા મુદ્દાઓ

Sai Baba Shirdi શિરડી સાંઈબાબા shirdi saibaba

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ