બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sabarakantha news Crores of rupees renounced on the path of austerity, industrialist Bhavesh Bhandari and his wife Lesh Deeksha
Dinesh
Last Updated: 12:28 AM, 12 April 2024
દુ:ખી હોઈએ ત્યારે ઈશ્વર યાદ આવી જવા એ જુદી વાત છે. પરંતુ સુખની છોળો વચ્ચે પણ હૈયે ભગવાનનો વાસ રહેવો તે કોઈ નિરાળી જ વાત છે. અને આ સદભાગ્ય દરેકને નથી સાંપડતું. કોઈ વિરલા જ આ સંપદાના હકદાર બને છે. આવા જ હકદાર બન્યા છે સાબરકાંઠાના ભાવેશ ભંડારી અને તેમની પત્ની. કે જેઓ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે.
36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે
જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો એક માત્ર માર્ગ ગણવામાં આવે છે. પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા ધર્મનું પાલન કરવું કપરુ છે. જોકે આજે પણ એવા અનેક યુવાનો છે જે આ કપરા કાળમાં જાહોજલાલી છોડીને સંયમના પંથે નીકળી પડયા છે. આવા યુવાનોમાંના એક છે હિંમતનગરના ભાવેશ ભંડારી. ભાવેશ ભંડારી અમદાવાદ અને હિંમતનગરમાં ખુબ જ મોટો બિઝનેશ ધરાવે છે. તેમણે આર્થિક કટોકટીનો ક્યારેય સામનો નથી કર્યો. કે નથી તેમને કોઈ શારિરીક કે માનસિક વેદના. વેલસેટ બિઝનેસ અને કરોડોની પ્રોપર્ટીના માલિક ભાવેશ ભંડારી સંસારની આ તમામ મોહમાયા છોડીને પોતાની પત્ની જીનલ ભંડારી સાથે આગામી 22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે. 22 એપ્રિલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર દીક્ષા સમારોહમાં ભાવેશ ભંડારી, જીનલ ભંડારી સહિત 36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે.
વાંચવા જેવું:
સંયમનો માર્ગ
ભાવેશભાઈના 16 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રીએ પણ બે વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી. અને હવે તેમણે પોતે પણ પત્ની સાથે સાંસારિક મોહમાયા ત્યાગીને મોક્ષનો માર્ગ અપનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આમ કરોડોની સંપતી છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહેલા ભાવેશભાઈ અને તેમના પત્ની જીનલબેને ચરિતાર્થ કર્યું છે કે, સંયમનો માર્ગ અને ધર્મ જ શ્રેષ્ઠ છે બાકી આ જાહોજલાલી નામ માત્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime