બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Priyakant
Last Updated: 03:13 PM, 23 December 2022
યુક્રેન સાથેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે જાહેરાત કરી છે કે, તેઓ ટૂંક સમયમાં યુદ્ધ સમાપ્ત કરવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની યુએસ મુલાકાત બાદ પુતિને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે,આ સંઘર્ષનો અંત લાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમે આ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને કરતા રહીશું.
પુતિને કહ્યું કે, ગમે તે રસ્તો હોય, તમામ સંઘર્ષોનો અંત આવે છે. આપણા દુશ્મનને આ વાત જેટલી જલ્દી સમજાય તેટલું સારું. પુતિને જાહેરમાં યુક્રેનની વિશેષ સૈન્ય કાર્યવાહીને પ્રથમ વખત યુદ્ધ ગણાવ્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેણે અમેરિકા પર આરોપ લગાવ્યો કે, તે રશિયાને નબળા કરવા માટે યુક્રેનનો ઉપયોગ કરી રહ્યો છે.
Russian President Vladimir Putin said that Russia wants an end to the war in Ukraine and that this would inevitably involve a diplomatic solution, reports Reuters
— ANI (@ANI) December 22, 2022
(File pic) pic.twitter.com/iM4mwzIBu0
અમેરિકાએ તાજેતરમાં એક જાહેરાત કરી છે કે, તે યુક્રેનને 15,000 કરોડ રૂપિયાની સહાય આપશે. જેમાં અમેરિકા તરફથી યુક્રેનને પેટ્રિઅટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ આપવામાં આવશે. પુતિને આ અંગે નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે,આનાથી યુદ્ધ પર કોઈ ખાસ અસર નહીં પડે. રશિયા તેની સાથે વ્યવહાર કરવા માટે ચોક્કસપણે કોઈ રસ્તો શોધી લેશે. જેઓ યુક્રેનને આવી મદદ કરી રહ્યા છે તેઓ આ સંઘર્ષને આગળ વધારી રહ્યા છે.
આ તરફ ઝેલેન્સકીએ કહ્યું કે, તેમની પાસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોકલવા માટે કોઈ સંદેશ નથી. ઝેલેન્સકીએ કહ્યું, અમારા જીવનનો નાશ કર્યા પછી હું તેમને કેવો સંદેશ મોકલી શકું ? તેઓ આપણને નષ્ટ કરી રહ્યા છે. રશિયાને લોકો સામે, યુરોપ સામે અને મુક્ત વિશ્વ સામે જવાબદાર ઠેરવવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime