નર્મદાના પાણીની વહેચણીને લઈને થઈ રહેલો સંગ્રામ આમ તો ઘણો જૂનો છે..પરંતુ અત્યાર સુધી બંને રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી આ વિવાદ શમેલો હતો..પણ જેવી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી એટલે વિવાદના બિજ પુન: તાજા થઈ ગયા છે..અને અંતે બે સરકાર વચ્ચેની આ લડાઈમાંં પીસાવાનું આવે છે જનતાને...નર્મદા યોજનાનું પાણી ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ 4 રાજ્યો વચ્ચે ફાળવવામાં આવે છે..જેમાં હવે એક તરફ મધ્યપ્રદેશ સરકારની માગ છે કે નિયમ મુજબ ગુજરાતને તે પાણી આપતી હોવાથી તેના દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો 57 ટકા હિસ્સો તેને આપવામાં આવે.. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નર્મદામાંથી હાલ વીજળી ઉત્પન્ન થતી નથી અને એટલે જ ગુજરાત સરકાર મધ્યપ્રદેશને વીજળી આપી શકે તેમ નથી...બીજી તરફ છેલ્લા એક અઠવાડીયાથી મધ્યપ્રદેશ ગુજરાતને પાણી આપી રહ્યું છે...જો કે આ વિવાદ લાંબો ચાલશે તો મધ્યપ્રદેશ દ્વારા છોડવામાં આવતુ પાણી પણ બંધ થઈ શકે છે..ત્યારે અહીં સવાલ એ છે કે સરકાર વચ્ચેની લડાઈમાં અંતે લોકો કેમ પીસાય? શું આ વિવાદનું કોઈ સમાધાન નથી? શા માટે જીવાદોરી પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...